ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 23 તબીબોના નિપજ્યા મૃત્યુ

|

Sep 21, 2020 | 10:48 AM

કોરોના વાયરસનું સંક્રમણ કેટલુ ભયજનક છે તેનો અંદાજ કોરોના વોરીયર્સ એવા તબીબો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે તેના પરથી આવે છે. ગુજરાતમા કોરોનાના દર્દીઓની સારવાર કરનારા 23 તબીબો અત્યાર સુધી મૃત્યુના મોતમાં ઘકેલાઈ ચૂક્યા છે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ડો. સંદિપ દવેના મૃત્યુએ અમદાવાદના  તબીબોને આચંકો આપ્યો છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) તાજેતરમાં […]

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 23 તબીબોના નિપજ્યા મૃત્યુ

Follow us on

કોરોના વાયરસનું સંક્રમણ કેટલુ ભયજનક છે તેનો અંદાજ કોરોના વોરીયર્સ એવા તબીબો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે તેના પરથી આવે છે. ગુજરાતમા કોરોનાના દર્દીઓની સારવાર કરનારા 23 તબીબો અત્યાર સુધી મૃત્યુના મોતમાં ઘકેલાઈ ચૂક્યા છે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ડો. સંદિપ દવેના મૃત્યુએ અમદાવાદના  તબીબોને આચંકો આપ્યો છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) તાજેતરમાં કરેલા સર્વે મુજબ સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની ખડેપગે સારવાર કરનારા 196 તબીબોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ 43 તબીબો તામિલનાડુના છે, તો ગુજરાત અને મહારાષ્ટ્રના 23-23 તબીબોના મૃત્યુ કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા લાગેલા કોરોનાના સંક્રમણને કારણે થયા છે.

મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સમાં અડધોઅડઘ તબીબો જનરલ પ્રેકટીશ કરતા હતા. તેમાથી 50 કે તેથી વધુ ઉમર ધરાવનારા તબીબોની ટકાવારી 70 ટકા જેટલી છે. જેને ધ્યાને રાખીને સરકારે વધુ ઉમર ધરાવનારા તબીબોને જનરલ પ્રેકટીશ કરવામાંથી હાલ પુરતી મુક્તિ આપવી જોઈએ. સરકારે મૃત્યૃ પામેલા આ તબીબોને કોરોના વોરિયર્સ ગણીને પણ એક્સગ્રેસીયા સહાય કરવી જોઈએ. ગુજરાતમાં મૃત્યુ પામનારા 23 તબીબો ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્ય હતા. જો કે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્ય ના હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા તબીબોની સંખ્યા વધુ હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વારંવાર આગની દુર્ઘટનાઓ બાદ પણ NOC મામલે લાલિયાવાડી, રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે નથી ફાયર NOC

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:02 am, Sun, 9 August 20

Next Article