સુરતના માંડવીમાં 10 લોકો ડૂબ્યા, 3ને બચાવી લેવાયા, 5 લાપતા

|

Jan 11, 2022 | 4:02 PM

પાણીમાંથી બે જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે લાપત્તા થઈ ગયેલા 5 લોકોની શોધખોળ ચાલી રહી છે.

સુરત (Surat) ના માંડવી (Mandavi) તાલુકાના આમલી ગામ (Amali village) ના 10 લોકો નાવડી (Boat)માં બેસીને ઘાસ કાપવા જઈ રહ્યા હતા ત્યારે નાવડી પલટી (Boat capsize) જતાં તેમાં બેઠેલા તમામ લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે તેમાંથી 3 જણાને બચાવી લેવાયા છે. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

માંડવી તાલુકાના આમલી ગામ નજીક આવેલા ડેમ (Dam) ની વચ્ચે ટેકરા પર ઉગેલું ઘાસ કાપવા માટે 10 જેટલા લોકો નાવડીમાં બેસીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક નાવડી પલટી ગઈ હતી. નાવડી પલટી જતાં ડેમના પાણીમાં 10 લોકો ડૂબવા લાગ્યા હતા.

તમામ લોકો માંડવીના દેવગીરી ગામના રહેવાસી હોવાની માહિતી મળી છે. નાવડી અચાનક જ પલટી મારી ગઈ હતી, નાવડી પલટી જવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સહીતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

નાવડીમાં સવાર 5 લોકો લાપતા થયા છે તેમની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે મોડે સુધી વધુ કોઈ મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ નથી.

મૂળ સુરતના અને પનામામાં રહેતા 3 લોકોના ડૂબી જવાથી મોત

મૂળ સુરતના પલસાણા તાલુકાના ડાભા ગામના આહીર પરિવારના પિતા, પુત્ર અને કાકા એમ એક જ પરિવારના ત્રણ જણના દરિયામાં ડૂબી જવાથી મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દરિયામાં નહાવાની મજા માળવા ગયેલા પરિવારના 3 જણા ડૂબી ગયા હતા.

આ પણ વાંચોઃ Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

આ પણ વાંચોઃ Surat: મેયરે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી, RTPCR ટેસ્ટ વધારવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવાની આપી સૂચના

Next Video