
વેબ સિરીઝ : Taj Divided By Blood
દિગ્દર્શકો : રોન સ્કેલ્પેલો, અજય સિંહ, વિભુ પુરી, પ્રશાંત સિંહ
કલાકારો : નસીરુદ્દીન શાહ, અદિતિ રાવ હૈદરી, સંધ્યા મૃદુલ, રાહુલ બોઝ, આશિમ ગુલાટી, તાહા શાહ
પ્લેટફોર્મ : Zee5
રેટિંગ : 2.5
આ પણ વાંચો : Taj Trailer Release : ‘તાજ…’નું ટ્રેલર છે જોરદાર, નસીરુદ્દીન શાહ બન્યા અકબર, અદિતિ રાવ હૈદરી બની અનારકલી
Taj: Divided By Blood એ Zee5 પર સ્ટ્રીમ થયેલી 10-એપિસોડની વેબ સિરીઝ છે. આ સિરીઝમાં મુગલ સલ્તનતની વાર્તા કહેવામાં આવી છે. 3 માર્ચથી લાઈવ થયેલી આ વેબ સિરીઝમાં આપણે અકબર (નસીરુદ્દીન શાહ), અનારકલી (અદિતિ રાવ હૈદરી), જોધા બાઈ (સંધ્યા મૃદુલ), સલીમા સુલતાન બેગમ (ઝરીના વહાબ), મિર્ઝા હકીમ (રાહુલ બોઝ), સલીમ (આશિમ ગુલાટી) અને મુરાદ (તાહા શાહ)ની વાર્તા રજૂ કરવામાં આવી છે. Zee5 પર શરૂ થયેલી આ સિરીઝ જોતાં પહેલા તેનો રિવ્યૂ વાંચો.
સિરીઝની શરૂઆત યુદ્ધથી થાય છે. અકબર, જે નિર્દયતાથી બીજાના બાળકોની હત્યા કરવાનો આદેશ આપે છે પણ તે પોતાના જ બાળકો માટે ઝંખે છે. આ યુદ્ધ દરમિયાન લોહીથી લથબથ અકબર એક સૂફી સંત, શેખ સલીમ ચિશ્તી (ધર્મેન્દ્ર) ને મળે છે, જે તેને આશીર્વાદ આપે છે અને કહે છે કે તેને 3 બાળકો થશે, પરંતુ તેના પોતાના જ કોઈ તેના શાસનની ચેતવણી આપશે. આ દરમિયાન તે સલાહ આપે છે કે, ‘જ્યારે-જ્યારે દરિયાનું પાણી લાલ થશે, ત્યારે મુગલિયા સલ્તનતનું લોહી વહેશે’. આ સિરીઝમાં ધર્મેન્દ્રનો માત્ર થોડી મિનિટોનો આ સીન આખી સિરીઝનો શ્રેષ્ઠ સીન હતો.
સિરીઝના નામની જેમ આ સિરીઝ અકબરના પરિવાર અને તેના બાળકો વચ્ચેના સંઘર્ષ પર આધારિત છે. સલીમ, મુરાદ અને દાનિયાલ અકબરને 3 પુત્રો છે. તેના આ 3 છોકરાઓ તેમના પિતાથી સાવ અલગ છે. દાનિયાલ તેના ભાઈઓથી સાવ અલગ છે. તે પોતાની જાતને યુદ્ધથી દૂર રાખે છે.
કારણ કે દાનિયલે પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરી દીધી છે. વ્રત પછી પિતાએ જેની અપેક્ષા રાખી હતી તે પુત્ર સલીમ છે, જેને જામ અને સુંદરતા વચ્ચે જીવન પસાર કરવાનું સારૂં લાગે છે. તો બીજી બાજુ મુરાદને હિંસા ગમે છે. પોતાના ભાઈઓને નીચું જોવડાવવું અને પોતાને મહત્વ આપવું એ તેની આદત છે.
અકબર પાસે તેમના પુત્રોમાંથી તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાની જવાબદારી છે. એકવાર તેમના ઉત્તરાધિકારી તરીકે એવા શાસકને પસંદ કરવા માંગે છે, જે તેમના પગલે ચાલે છે અને તમામ લોકો અને તમામ ધર્મોને મહત્વ આપે છે. જે ન્યાય આપે છે અને કોઈપણ પ્રકારની બાંધછોડ કરતો નથી. આ જ કારણ છે કે અકબર એ નિર્ણય લે છે કે મુગલિયા સલ્તનતના વારસદારની પસંદગી ઉંમરના આધારે નહીં પણ ક્ષમતાના આધારે તેમના પુત્રોમાંથી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી અનેક પુસ્તકોમાં અકબર વિશે ઘણી સારી વાતો લખવામાં આવી છે પરંતુ અકબર કોઈ સંત ન હતા. આ સીરિઝમાં અકબરના આ જીવન વિશે ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે પરંતુ શું શેખ સલીમ ચિશ્તીની ‘આપકો ખતરા ઉનસે જિનસે ખતરોં કી ઉમ્મિદ કમ હો’ની ચેતવણી સાચી પડશે કે નહીં અને આ બાબતો અનારકલી-સલિમની લવ સ્ટોરી સાથે કેવી રીતે જોડાયેલી છે, તે માટે તમારે Zee5 પર Taj : Divided By Blood વેબ સિરીઝ જોવી પડશે .
આ સિરીઝમાં આપણને કેટલાક કલાકારોની અદભૂત એક્ટિંગ જોવા મળશે. અકબર તરીકે નસીરુદ્દીન શાહ, જોધા બાઈ તરીકે સંધ્યા મૃદુલ, સલીમા સુલતાન બેગમ તરીકે ઝરીના વહાબ અને મિર્ઝા હકીમ તરીકે રાહુલ બોઝ હંમેશની જેમ તેમનો અદભૂત અભિનય રજૂ કરે છે અને સિરીઝને મનોરંજક અને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરે છે.
સિરીઝમાં,સલીમ તરીકે આશિમ ગુલાટી અને મુરાદ તરીકે તાહા શાહ આ પ્રતિભાશાળી કલાકારો સામે તેમની ભૂમિકાઓ સાથે ન્યાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સંપૂર્ણ રીતે સફળ થઈ શક્યા નથી. અનારકલીના રોલમાં અદિતિ રાવ કંઈ ખાસ પ્રભાવિત કરી શકી નથી. આ ત્રણેય કલાકારો મોટે ભાગે બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મોના પાત્રોની નકલ કરતાં જોવા મળે છે. દિગ્દર્શકની કલ્પના ખૂબ સારી છે પરંતુ તેમ છતાં આ સિરીઝમાં ઘણું ખૂટે છે.
જેઓ સતત નાટક પસંદ કરે છે તેમના માટે આ સિરીઝ યોગ્ય છે. જો તમારી પાસે વીકએન્ડ પર કોઈ અન્ય પ્લાન નથી, તો તમે આ સીરિઝ ચોક્કસ જોઈ શકો છો. આ સિરીજ સત્યથી ઘણી દૂર છે. ક્રિએટિવ લિબર્ટીના નામે કલ્પનાનો એવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે, જાણે તે કોઈ કાલ્પનિક વાર્તા હોય. સિરીઝ એક સારી અને રસપ્રદ ઐતિહાસિક સિરીઝ બની શકી હોત પરંતુ એવું બન્યું નથી.