Puneeth Rajkumar ના નિધનની એક રાત પહેલાનો વીડિયો આવ્યો સામે, ખુશીથી ગીત ગાઇ રહ્યા હતા અભિનેતા

તેમના નિધનની આગલી રાતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો એક પાર્ટીનો છે આ પાર્ટીમાં પુનીત ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ખુશ હતા. આ દરમિયાન તેમણે એક ગીત પણ ગાયુ હતુ. આ એક જન્મ દિવસની પાર્ટી હતી.

Puneeth Rajkumar ના નિધનની એક રાત પહેલાનો વીડિયો આવ્યો સામે, ખુશીથી ગીત ગાઇ રહ્યા હતા અભિનેતા
Video of Puneeth Rajkumar singing happily before his death surfaces on the internet
| Edited By: | Updated on: Oct 30, 2021 | 2:02 PM

સાઉથ સુપરસ્ટાર (South Super Star) પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. પુનીતનું 29 ઓક્ટોબરે 46 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પુનીતના મૃત્યુથી સાઉથથી લઈને બોલિવૂડ સુધીની આખી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. તેવામાં હાલ હવે તેમના નિધનની આગલી રાતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો એક પાર્ટીનો છે આ પાર્ટીમાં પુનીત ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ખુશ હતા. આ દરમિયાન તેમણે એક ગીત પણ ગાયુ હતુ. આ એક જન્મ દિવસની પાર્ટી હતી.

તેમનો આગલા દિવસનો આ વીડિયો સામે આવતા જ લોકો વિચારી રહ્યા છે કે આગલા જ દિવસે આટલો સ્વસ્થ્ય વ્યક્તિ અચાનક જ આમ કઇ રીતે દુનિયાને અલવિદા કહી શકે છે. પુનીત શુક્રવારે જિમમાં વર્કઆઉટ કરવા ગયા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત અત્યંત ગંભીર હતી.

ડૉક્ટરોએ તેમની સારવાર કરી, પરંતુ થોડા સમય પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકનું મોજુ ફરી વળ્યું હતુ. પુનીતના ઘર અને હોસ્પિટલની બહાર તેના ચાહકો એકઠા થઈ ગયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે.

ઉમદા કામો કરતા હતા પુનિત

તમને જણાવી દઈએ કે પુનીત ઘણા ઉમદા કાર્યો કરતા હતા. તેઓ 26 અનાથાશ્રમ, 46 મફત શાળાઓ, 16 ગૌશાળાઓ સાથે તેઓ 1800 બાળકોના શિક્ષણની જવાબદારી સંભાળતા હતા.

આંખોને કરવામાં આવી દાન

પુનીતના પિતાની જેમ તેની આંખો પણ દાન કરવામાં આવી છે. 1994માં પુનીતના પિતા ડૉ. રાજકુમારે સમગ્ર પરિવારની આંખો દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વર્ષ 2006માં આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી. 12 એપ્રિલે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું

અભિનેતા ચેતન કુમાર અહિંસાએ પુનીતના નેત્રદાન વિશે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું- જ્યારે હું અપ્પુ સરને મળવા હોસ્પિટલ ગયો હતો ડોક્ટરોની ટીમે છ કલાકમાં તેમની આંખો કાઢી લીધી. જે રીતે ડો. રાજકુમાર અને નિમ્મા શિવન્નાએ આંખોનું દાન કર્યું હતું. અપ્પુ સાહેબે પણ એવું જ કર્યું. અમે અપ્પુ સરની યાદમાં અમારી આંખોનું દાન કરવાનો સંકલ્પ પણ લઈએ છીએ.

આ પણ વાંચો –

રશિયાએ કર્યું વિશ્વનું સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ, 60 કિમી ઊંચા ઉઠ્યા ‘મશરૂમ ક્લાઉડ’, 35 કિમીની ત્રિજ્યામાં બધું નષ્ટ

આ પણ વાંચો –

ગજબ હો બાકી ! નાગરિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના કરવા છતાં પણ આ જગ્યા પર આજ દિવસ સુધી નથી પહોંચ્યો કોરોના

આ પણ વાંચો –

આર્યન ખાનની મન્નત પુરી, જેલમાંથી છૂટ્યા બાદ આર્યન ખાનની પહેલી તસવીર સામે આવી, જુઓ Photos