TMKOC: જેઠાલાલ ટ્રોલી બેગ લઈને કંઈક આ રીતે ચાલ્યા તો ફેન્સે પૂછ્યું – બેગે કયો નશો કર્યો છે? વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

તાજેતરમાં દિલીપ જોશી પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન દિલીપ જોશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

TMKOC: જેઠાલાલ ટ્રોલી બેગ લઈને કંઈક આ રીતે ચાલ્યા તો ફેન્સે પૂછ્યું - બેગે કયો નશો કર્યો છે? વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો
Dilip joshi aiport video ( File photo)
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:02 AM

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'( Taarak Mehta ka Ooltah Chashmah)ને લોકો ખૂબ જ પસંદ કરે છે. આ શો છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના મુખ્ય અભિનેતા દિલીપ જોશી (Dilip joshi) જેઠાલાલના ( Jethalal) પાત્રમાં જોવા મળે છે અને તેણે પોતાના એક્ટિંગથી ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેના મુખ્ય પાત્ર જેઠાલાલ વિના અધૂરો છે. બબીતાજી પ્રત્યેની તેમની અભિવ્યક્તિ અને જુસ્સાને કારણે જેઠાલાલે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

માત્ર સ્ક્રીન પર જ નહીં વાસ્તવિક જીવનમાં પણ જેઠાલાલ ખૂબ જ ફની છે. તાજેતરમાં દિલીપ જોશી પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, હવે દિલીપ જોશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એરપોર્ટ પર કંઈક એવું કરતા જોવા મળી રહ્યા છે, જેને જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો. આ વીડિયો પર લોકો ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે.

છેલ્લા 13 વર્ષથી શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવી રહેલા દિલીપ જોશીએ આ પાત્રને સંપૂર્ણપણે આત્મસાત કરી લીધું હોય તેવું લાગે છે. એરપોર્ટ પર દિલીપ જોષીએ કંઈક એવું કર્યું કે લાગે છે કે તે ટપ્પુના પિતા અને જેઠીયાને રોલને પોતાનામાંથી બહાર કાઢી શક્યા નથી. એરપોર્ટથી બહાર નીકળતી વખતે દિલીપ જોશના હાથમાં ટ્રોલી બેગ હતી.

મીડિયાના કેમેરા જોઈને દિલીપ આ બેગને આમથી તેમ ખેંચી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોનારા લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા નથી. તેનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેના પર તેના ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, બેગ હજુ હેંગઓવરમાં છે. બીજાએ કમેન્ટ કરી સૂટકેસની હાલત શું થઈ ગઈ છે. બીજાએ લખ્યું, ફુલ એટીટ્યુડ જેઠા ભાઈ કા. કોઈએ કોમેન્ટ કરી કે ભાઈ બેગે કયો નશો કર્યો છે? જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે જેઠાભાઈ સામાન્ય જીવનમાં પણ કોમેડિયન છે.

થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે દિલીપ જોશી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવાના છે, જેના પર તેણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ જોશીએ જણાવ્યું કે તેઓ શો છોડી રહ્યા નથી. તેણે કહ્યું, મને લાગે છે કે જ્યારે આ શો સારો ચાલી રહ્યો છે તો તેને બિનજરૂરી રીતે કેમ છોડી દેવો જોઈએ.

તેમણે એ પણ કહ્યું કે આ શોને કારણે તેને ઘણો પ્રેમ મળ્યો છે અને તે તેને બગાડવા માંગતો નથી. તેણે કહ્યું કે લોકો અમને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર કેમ બરબાદ કરવા માંગુ છું. આ રીતે દિલીપ જોષીએ સ્પષ્ટ કર્યું હતું કે તે શોમાં જેઠાલાલની ભૂમિકામાં જોવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો : Jammu Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષાદળોએ 7 દિવસમાં 19 આતંકવાદીઓને કર્યા ઠાર

આ પણ વાંચો : Success Story: ખેડૂતોએ પહેલા શરૂ કરી જૈવિક ખેતી, હવે સ્ટોરમાં ઉત્પાદકો વેચીને કરે છે કમાણી

Follow Us