TMKOC પ્રોડ્યુસરે દયાબહેનની શો માં એન્ટ્રી પર આપ્યો સોલીડ જવાબ, હું કઈ રીતે દયાબહેનને મજબુર કરી શકુ ?

|

Mar 28, 2023 | 1:23 PM

સિરિયલનું દરેક પાત્ર પોતાના માં ખાસ છે. શોમાં દયા ભાભી એટલે કે જેઠાલાલની પત્ની દયાબેનનું પાત્ર લોકોના દિલની નજીક છે. જોકે, દયાબેન લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. તેનું કારણ છે દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી

TMKOC પ્રોડ્યુસરે દયાબહેનની શો માં એન્ટ્રી પર આપ્યો સોલીડ જવાબ, હું કઈ રીતે દયાબહેનને મજબુર કરી શકુ ?

Follow us on

TMKOC Dayaben: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવી ટીવી સિરિયલ છે જે પુખ્ત વયના અને બાળકો બધાને પસંદ છે. સિરિયલનું દરેક પાત્ર પોતાના માં ખાસ છે. શોમાં દયા ભાભી એટલે કે જેઠાલાલની પત્ની દયાબેનનું પાત્ર લોકોના દિલની નજીક છે. જોકે, દયાબેન લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. તેનું કારણ છે દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી, જે હાલમાં પ્રસૂતિ રજા પર છે.

સીરિયલમાં દિશાની વાપસીને લઈને ફેન્સ ખૂબ જ ચિંતિત છે

ઘણી વખત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતાઓ, નિર્માતાઓ અને નિર્દેશકોને શોમાં દયા બેનની વાપસી વિશે પૂછવામાં આવ્યું છે. તેના વાપસીને લઈને ચાહકો ચિંતિત છે. હવે સિરિયલના નિર્માતા અસિત કુમાર મોદીએ ખુલાસો કર્યો કે દયાબેન શોમાં કેમ નથી પાછા ફરી રહ્યાં?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તારક મહેતામાં નવી દયા ભાભી જોવા મળશે

વાસ્તવમાં દયાબેન એટલે કે દિશા વાકાણી હવે તેના પરિવારને સમય આપવા માંગે છે. દિશાના 2 બાળકો છે જેની સાથે તે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગે છે. આ શોના નિર્માતાઓ માટે પણ એક મોટો પડકાર છે. દયાબેનના સ્થાને નવો ચહેરો મેળવવો ખૂબ મુશ્કેલ છે. જોકે નવા ચહેરાની શોધ ચાલી રહી છે. જે દિશાનું સ્થાન લઈ શકે છે.

દિશા વાકાણીને રિપ્લેસ કરવું મુશ્કેલ બનશે

અસિત કુમાર મોદી કહે છે કે તેઓ દિશા વાકાણી અને દયાબેનના શોમાં પાછા ફરવા અંગેના પ્રશ્નોના જવાબ આપીને થાકી ગયા છે. અસિતે કહ્યું, ‘મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે દર્શકો પાસેથી પ્રેમ મેળવવો સરળ નથી. લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે, તેથી અમારે સખત મહેનત કરવી પડશે.

દિશા વાકાણીને રિપ્લેસ કરવી આસાન નથી. આ માટે આપણે સખત મહેનત કરવી પડશે. હું પોતે મૂળ દયા ભાભી એટલે કે દિશા વાકાણીને શોમાં પાછી લાવવા માંગુ છું. દિશા મારી બહેન જેવી છે. તે હાલમાં તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. જો તે પાછા આવવા માંગતી નથી, તો હું તેને દબાણ કરી શકતો નથી.

 

દિશા વાકાણી તારક મહેતા શો માં પાછા નહીં ફરે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ શો માટે નવી દયા ભાભીની શોધમાં છે. જોકે, દિશા વાકાણી જેવા પાત્રને શોધવું એ પોતાનામાં એક મોટો પડકાર છે. શોમાં દયાબેને પોતાની સ્ટાઈલથી લોકોને પ્રભાવિત કર્યા હતા. તેથી જ દયાબેનનું પાત્ર ભજવવું સરળ નથી. આમાં ઘણો સમય પણ લાગી શકે છે. શોના મેકર્સનું કહેવું છે કે દયાબેન ટૂંક સમયમાં પરત ફરશે.

Published On - 1:23 pm, Tue, 28 March 23

Next Article