Masterchef India : ત્રણ મહિનાના બ્રેક પછી ફરી આવશે માસ્ટર શેફ ઇન્ડિયા, વિકાસ ખન્ના અને રણવીર બ્રાર કરી જાહેરાત

Masterchef India : વિકાસ ખન્ના અને રણવીર બ્રાર લાંબા સમયથી માસ્ટરશેફ ઈન્ડિયાનો ભાગ છે. છેલ્લી સિઝનમાં એક નવો સેલિબ્રિટી શેફ નવી ચેનલ સાથે જજ તરીકે શોમાં જોડાયો હતો.

Masterchef India : ત્રણ મહિનાના બ્રેક પછી ફરી આવશે માસ્ટર શેફ ઇન્ડિયા, વિકાસ ખન્ના અને રણવીર બ્રાર કરી જાહેરાત
Masterchef India
| Edited By: | Updated on: Jul 08, 2023 | 12:08 PM

Masterchef India Is Back : દેશનો સૌથી મોટો કૂકિંગ રિયાલિટી શો માસ્ટર શેફ ઈન્ડિયા સોની ટીવી અને OTT પ્લેટફોર્મ સોની લિવ પર ફરી એકવાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ વર્ષે માસ્ટર શેફની આ બીજી સીઝન હશે.

સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચાહકો સાથે શોના ઓડિશનની વિગતો શેર કરી છે, પરંતુ શોની વાપસીના સારા સમાચાર સાથે શોની જજ ગરિમા અરોરાને લઈને ચાહકો માટે સમાચાર પણ છે.

આ પણ વાંચો : Master Chef India Winner : આસામના નયનજ્યોતિ સૈકિયા બન્યા વિજેતા, ટ્રોફી સાથે જીત્યા 25 લાખ રૂપિયા

ગરિમા અરોરા બીજી વખત બનશે માતા

જો અમારા સૂત્રોનું માનીએ તો ગરિમા અરોરા આગામી માસ્ટરશેફ ઇન્ડિયાનો ભાગ નહીં હોય. પરંતુ શેફ વિકાસ ખન્ના અને રણવીર બ્રાર આ શોનો ભાગ હશે. ગરિમા અરોરાએ ગયા વર્ષે માસ્ટર શેફ ઈન્ડિયાની પ્રથમ સીઝનમાં જજ તરીકે કામ કર્યું હતું. પરંતુ તેની પ્રેગ્નેન્સીના કારણે ગરિમા અરોરાએ આ શો કરવાની ના પાડી દીધી છે. ગરિમા અરોરા બીજી વખત માતા બનવા જઈ રહી છે.

શોનો ભાગ કેવી રીતે બનવું તે જાણો

MasterChef India તેની આગામી સિઝનમાં જોડાવા માટે રસોઈમાં રસ ધરાવતા પ્રતિભાશાળી લોકોને શોધી રહી છે. જો તમારી પાસે તમારા હાથની કુશળતા, તમારી સર્જનાત્મકતા અને તમારા જ્ઞાનનો ઉપયોગ કરીને નિર્ણાયક શેફને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય, તો આ શો તમારા માટે છે. આ શોમાં જોડાવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એટલા માટે તમારે Sony Live એપ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:01 pm, Sat, 8 July 23