માસ્ટર શેફ જજ Ranveer Brar, વાપરે છે લાખોની કિંમતનુ ચાકુ, કિંમત સાંભળીને ચોંકી જશો

|

Jan 17, 2023 | 11:19 AM

કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'ના લેટેસ્ટ એપિસોડમાં હોસ્ટ કપિલ શર્માએ ખુલાસો કર્યો હતો કે, શેફ Ranveer Brar, લાખોની કિંમતના ચાકુનો ઉપયોગ કરે છે. શું તમને તેની કિંમતનો કોઈ ખ્યાલ છે?

માસ્ટર શેફ જજ Ranveer Brar, વાપરે છે લાખોની કિંમતનુ ચાકુ, કિંમત સાંભળીને ચોંકી જશો
માસ્ટર શેફ જજ Ranveer Brar, વાપરે છે લાખોની કિંમતની ચાકુ
Image Credit source: Instagram

Follow us on

નાના પડદાનો લોકપ્રિય કોમેડી શો, જેની દરેક આતુરતાથી રાહ જોતા હોય છે, ‘ધ કપિલ શર્મા શો‘ હંમેશા દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહે છે. શોમાં આવનારા મહેમાનો પણ લોકોના મનોરંજન માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. હાલમાં પ્રખ્યાત શેફ વિકાસ ખન્ના, ગરિમા અરોરા અને રણવીર બરાર ‘માસ્ટરશેફ’ના પ્રમોશન માટે શોમાં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ઘણા એવા ખુલાસા કર્યા જે તમને હચમચાવી નાખશે.

તાજેતરના શોમાં, શેફની ટીમે લોકોને ઘણા અનોખા અને ચોંકાવનારા રહસ્યો જાહેર કર્યા. આ શોની શરૂઆત ત્રણેય જજના ઈન્ટ્રો સાથે થાય છે. કપિલ શર્મા જણાવે છે કે શેફ ગરિમા સૌથી સફળ મહિલા શેફમાંથી એક છે. બીજી તરફ, રણવીર બરાર તેના સ્વાદિષ્ટ ખોરાક અને તેના સ્વાદને લઈને તેના ક્ષેત્રમાં તેની સફળતા માટે જાણીતો છે. ત્યારબાદ વિકાસ અમેરિકામાં પોતાના સંઘર્ષ વિશે વાત કરવાનું શરૂ કરે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

શો આગળ વધે છે અને કપિલ જણાવે છે કે રણવીર રૂ. 1.45 લાખની કિંમતની ચાકુ વાપરે છે. આ સાંભળીને શોની જજ અર્ચના પુરણ સિંહ પણ ચોંકી જાય છે. આ પછી તેને પૂછે છે કે શું આ સાચું છે. આ અંગે રણવીર કહે છે, “લોકો ઘડિયાળો, ગેજેટ્સના શોખીન છે… મારી પાસે ચાકુ છે. ચાકુ ઐતિહાસિક તલવારમાંથી બનાવવામાં આવી છે, તેથી તેનો ઉપયોગ કરતી વખતે હું ઇતિહાસ સાથે જોડાયેલો અનુભવું છું.

નાનપણથી ખાવાનો શોખ

રણવીર બરારના અંગત જીવનની વાત કરીએ તો, નવાબોના શહેર લખનઉમાં 8 ફેબ્રુઆરી, 1978ના રોજ જન્મેલા શેફે પ્રાથમિક શિક્ષણ લખનૌમાં લીધું હતું. આ પછી શેફ બ્રારે એ પબ્લિક યુએસ સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. પરંતુ, બાળપણથી જ રણવીરને ખાવામાં અલગ જ રસ હતો. બાળપણમાં તેઓ દર રવિવારે તેમના દાદા સાથે ગુરુદ્વારા જતા હતા. દાદા તેમના મિત્રો સાથે ત્યાં પ્રાર્થના કરતા અને ગુરબાની ગાતા. પરંતુ રણવીર પોતાનો સમય ગુરુદ્વારાના રસોડામાં વિતાવતો હતો.

25 વર્ષની ઉંમરે શેફ બન્યો

એક ઈન્ટરવ્યુમાં શેફ બ્રારે જણાવ્યું હતું કે જ્યારે લખનૌમાં રહેતો હતો ત્યારે તેના પરિવારના સભ્યો તેને દાસ બાબુની કરિયાણાની દુકાનમાંથી ક્યારેક મરચાં, ક્યારેક ચાની પત્તી અને ક્યારેક હળદર લાવવા કહેતા હતા. તમને જણાવી દઈએ કે માત્ર 25 વર્ષની ઉંમરમાં તે દેશના સૌથી યુવા એક્ઝિક્યુટિવ શેફ બની ગયા હતા.

Next Article