KBC 14 માટે રજિસ્ટ્રેશન શરૂ, આ સ્ટેપ્સને અનુસરો અને અમિતાભ બચ્ચનના શોમાં ભાગ લો

'કૌન બનેગા કરોડપતિ'ની 14મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. તે પહેલા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે. તમે 9 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાથી નોંધણી કરાવી શકો છો. આ માટે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

KBC 14 માટે રજિસ્ટ્રેશન શરૂ, આ સ્ટેપ્સને અનુસરો અને અમિતાભ બચ્ચનના શોમાં ભાગ લો
kbc
| Edited By: | Updated on: Apr 10, 2022 | 3:20 PM

‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. લગભગ દરેક સિઝનમાં ‘KBC’ TRPની ટોપ 10 લિસ્ટમાં સામેલ થઈ છે. શોના ફોર્મેટની સાથે અમિતાભ બચ્ચન (amitabh bachchan) જે રીતે હોસ્ટ કરે છે, તેનાથી તેને વધુ રસપ્રદ બનાવે છે. તે જે રીતે પ્રશ્નો પૂછે છે કે સ્પર્ધકો સાથે તેના જોક્સ, ટીવી પરના પ્રેક્ષકો તેને પસંદ કરે છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. તે પહેલા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે. તેનું રજીસ્ટ્રેશન 9મી એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે.

તમે પણ બની શકો છો કરોડપતિ

ઘણી વખત સ્પર્ધકો વર્ષોથી ‘કૌન બનેગા કરોડપતિ’ની હોટ સીટ પર બેસવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે શોમાં ચાન્સ મેળવી શકો છો.

અનુસરો આ પગલાં

  1. KBCનું ઓનલાઈન રજીસ્ટ્રેશન Sony Liv એપથી થશે.
  2. તમારે તમારી ભાષા હિન્દી અથવા અંગ્રેજી પસંદ કરવી પડશે.
  3.  તમારું નામ દાખલ કરો.
  4.  વય જૂથ પસંદ કરો.
  5. અભ્યાસ વિશે, ‘ગ્રેજ્યુએટ’ અથવા ‘અંડર ગ્રેજ્યુએટ’માંથી એક વિકલ્પ પસંદ કરો.
  6.  તમારો વ્યવસાય પસંદ કરો.

ધ્યાનમાં રાખો કે એકવાર તમે તમારી વિગતો દાખલ કર્યા પછી તે સુધારી શકાતી નથી, તેથી બધી માહિતી યોગ્ય રીતે ભરો.

ચેનલે પ્રોમો કર્યો રિલીઝ

સોની ટીવીએ એક પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચનના પ્રશ્નો સાથે આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે- ‘તમારો ફોન ઉપાડીને તમારા સપના સાકાર કરો. કૌન બનેગા કરોડપતિની નોંધણી માત્ર સોની ટીવી પર રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  KFG 2 Advance Booking: 3 દિવસના એડવાન્સ બુકિંગમાં 10 કરોડની કમાણી કરી, રિલીઝ પહેલા જેકપોટ લાગ્યો

આ પણ વાંચો:  Ram Navami: રામ નવમીએ ‘લંકેશ’ નો ખાલીપો વર્તાયો, રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી આ દીવસે રામની પૂજા કરી માફી માંગતા