
ટીવીની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં ખુબ ચર્ચામાં છે. અભિનેત્રી કરણ જોહરના રિયાલિટી શો ધ ટ્રેટર્સમાં જોવા મળશે. શોનો પ્રોમો પણ સામે આવી ચૂક્યો છે. જેમાં તે પોતાની પર્સનલ લાઈફને લઈ ખુલાસો કરી રહી છે. આ શો 13 ઓગસ્ટથી સ્ટ્રીમ થશે. શોના પ્રીમિયર પહેલા એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, શ્વેતા તિવારીને ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન થયું છે.
આ સમાચાર બાદ તેના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. વિરલ ભાયાણીની એક પોસ્ટ મુજબ, શ્વેતા તિવારીની તબિયત બગડી ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.વિરલ ભાયાણી દ્વારા શેર કરાયેલા એક રિપોર્ટ મુજબ શ્વેતા તિવારીને ડેન્ગ્યુ થયો છે. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક રિપોર્ટ શેર કર્યો છે. જે મુજબ શ્વેતા તિવારીને ડેન્ગ્યુ થયો છે. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. ડોક્ટરની ટીમ અભિનેત્રીના હેલ્થ પર ધ્યાન રાખી રહી છે. શ્વેતાની બીમારીના સમાચાર સાંભળ્યા બાદ ચાહકો પણ પરેશાન થયા છે. તેમજ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તો ચાહકોને આશા છે કે, અભિનેત્રીના જલ્દી સ્વસ્થ થઈ શોમાં પરત ફરશે.
13 ઓગસ્ટથી ધ ટ્રેટર્સ સીઝન 2 પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. શોમાં શ્વેતા તિવારી હાજરી પહેલા ખુબ ચર્ચામાં આવી છે.શોના પ્રોમોમાં શ્વેતા તિવારી પોતાની પર્સનલ લાઈફને લઈ નિવેદનના કારણે ચર્ચામાં છે. જ્યારે કરણ જોહરે તેને કહ્યું કે તુ ખોટા વ્યક્તિની પકડમાં આટલી સારી ન હોય શકે. તો શ્વેતા તિવારીએ જવાબ આપ્યો કે, પોતાના પતિને ચીટ કરતા મે પક્ડ્યો હતો. ત્યારબાદ દરેક લોકો શોમાં શ્વેતા તિવારીને જોવા માટે ખુબ ઉત્સુક છે.