
ટીવી અભિનેત્રી સાન્વી તલવારે અભિનેતા કરણ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાન્વીનો દાવો છે કે, ટીવી શો યે કહા આ ગયે હમના શૂટિંગ દરમિયાન તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતુ. તેમણે કહ્યું કે, કરણ અને તે સમયે શોના નિર્દેશકને આ વાત પસંદ આવી ન હતી કે, તે સેટ પર સૌથી અલગ રહેતી હતી. સાન્વીના મુજબ એક સીનના શૂટિંગ દરમિયાન નિર્દેશકે હજુ એક્શન પણ કહ્યું નહી, કરણે અચાનક તેને કિસ કરી હતી. ત્યારબાદ તેમણે કરણને થપ્પડ મારી હતી.
સાન્વીના આ આરોપે બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. પરંતુ હજુ સુધી કરણ કે, તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી. તો ચાલો જાણીએ આખરે સાન્વીએ કરણ પર શું શું આરોપ લગાવ્યા છે?
સાન્વીએ ફિલ્મીબીટ સાથે વાતચીત કરતી વખતે કહ્યું એક સીન ચાલી રહ્યો હતો પરંતુ ડાયરેક્ટરે હજુ એક્શન કીધું ન હતુ. તે પહેલા કરણે મને કિસ કરી હતી. તો મે તેને થપ્પડ મારી હતી. તે સમયે તેનું કોઈ રિએક્શન સામે આવ્યું ન હતુ. પરંતુ થોડા સમય પછી ફરી આવ્યો અને મને જોરદાર થપ્પડ મારી હતી. છોકરા અને છોકરીના થપ્પડની તાકાતમાં તફાવત હોય છે. હું જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ તેમણે મને અને મારા પરિવારને ગાળો આપી હતી.
અભિનેત્રીએ આગળ કહ્યું કે, તે સમયે સેટ પર કોઈએ તેનો સાથ આપ્યો ન હતો. પરંતુ બાદમાં નિર્માતા એકતા કપૂરે કરણ તરફથી માફી માંગી અને તેનું સમર્થન કર્યું હતુ. જેનાથી તેના માટે કામ કરવું થોડું સરળ થયું. સાન્વીએ એ પણ કહ્યું કે, તે સમયે કરણ અભિનેત્રી અનુષા દાંડેકરને ડેટ કરી રહ્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ અનુષા સેટ પર આવવા લાગી હતી પરંતુ તેમ છતાં કરણ અને નિર્દેશકે તેને કામના માહોલને મુશ્કેલ બનાવી દીધો હતો.
ધ ગ્લેમવર્લ્ડ ટોક્સને આપેલા ઈન્ટરવ્યુમાં સાન્વીએ કહ્યું કે, જ્યારે તેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો તો નિર્દેશકે તેના એક્ટિંગ કેપિસિટી પર સવાલો ઉઠાવવાનું શરુ કર્યું હતુ. પરંતુ તેમણે નિર્દેશકનું નામ લીધું નહી. પરંતુ આ શોમાંથી દીપક વિઠોબા ચૌહાણ, રંજન કુમાર સિંહ અને રણદીપ શાંતારામ મહાડિક જોડાયેલા રહ્યા છે.
સાન્વીનું કહેવું છે કે, મહિલાઓ પુરુષોની નજરને સમજી જાય છે અને તેને પહેલા જ મહેસુસ થઈ ગયું હતુ કે, કરણ તેનામાં દિલચસ્પી રાખે છે. પરંતુ તેમણે ક્યારેય તેની ફીલિંગ્સનો જવાબ આપ્યો ન હતી.