
ગઈકાલે બિગ બોસના ઘરમાં સલમાન ખાને ફરી એકવાર સત્યનો ખુલાસો કર્યો. આવી કેટલીક બાબતો સામે આવી હતી, જે બહાર આવવી ખૂબ જ જરૂરી હતી. શિવના પ્લાનિંગથી લઈને તેને સપોર્ટ કરનારા લોકોનો સલમાન ખાને પર્દાફાશ કર્યો. સાથે જ કેટલાક લોકોને ટોણા સાથે કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જો કે આ તમામ બાબતોની અસર પરિવારના સભ્યો પર કેટલી અને કેટલો સમય રહેશે તે તો સમય જ કહેશે.
ગત્ત દિવસે સલમાન ખાને અર્ચના ગૌતમને ઘરમાં પરત બોલાવી છે, અંકિત,ગૌતમ અને સૌંદર્યા આ વાતને લઈ ખુશ જોવા મળ્યા ન હતા. બીજી બાજુ તમામ સ્પર્ધકોના ચહેરા પર નિરાશા જોવા મળી હતી, તમામ ઘરના સભ્યોએ અર્ચનાને બીજી તક આપવાની મનાઈ કરી હતી પરંતુ સલમાન ખાનનો નિર્ણય સાંભળતા જ અર્ચનાને બીજી તક આપવામાં આવી હતી. જેને સાંભળી ખુદ અર્ચના પણ ખુબ ઈમોશનલ જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે, સલમાન ખાન સત્યનો વીડિયો હંમેશા લોકો સામે રાખે છે. તેમણે દેખાડ્યું કે, કઈ રીતે શિવે તમામ ઘટના પહેલા પોતાની ટીમની સાથે આ વાત કરી હતી કે, અર્ચનાને કઈ રીતે ગુસ્સે કરી હતી. શિવે તમામ લોકોને કહ્યું કે, તેને અમુક શબ્દો મુશ્કિલમાં દેખાડ્યા હતા. આપણે સૌ તેને એ બોલીને જ પાછળ હટી જાય છે. ત્યારબાદ અર્ચના ગુસ્સે થઈ જશે. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે અર્ચના શિવના પ્લાનિંગથી વાકેફ હતી.
ત્યારબાદ તેમણે શિવને બોલાવી સમાધાન કરવાનો નિર્ણય લીધો હતો. અર્ચના શિવને કહે છે કે તે તેની કેટલીક વસ્તુઓ વિશે વાત કરશે નહીં. તેના બદલામાં તેની પાર્ટી અને વસ્તુઓ વિશે વાત કરશે નહિ. આ વાત પર શિવ સતત તેની સાથે ઝગડો કરતા જોવા મળ્યો હતો. આ વાત ખુબ આગળ વધી ગઈ છે અને શિવે અર્ચનાને ગુસ્સે કરવાની કોઈ ત્તક મળી નથી.