શાહિદ કપૂરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને તેમના લગ્ન પર શુભેચ્છા આપવાનો કર્યો ઇનકાર

|

Apr 10, 2022 | 10:14 PM

Alia Bhatt Marriage : બોલીવુડના જાણીતા અભિનેતા શાહિદ કપૂરે આલિયા અને રણબીરના લગ્નની આસપાસની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે તે સ્ટાર કપલને અભિનંદન આપવાનું હાલ પૂરતું રોકશે.

શાહિદ કપૂરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને તેમના લગ્ન પર શુભેચ્છા આપવાનો કર્યો ઇનકાર
Alia Bhatt & Shahid Kapoor (File Photo)

Follow us on

બોલીવુડમાં (Bollywood) રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) અફવાવાળા લગ્ન આ મહિનાના અંતમાં યોજાનારા છે અને તે હવે ‘ટોક ઓફ ધ ટાઉન’ મુદ્દો બની ગયો છે. તેમના લગ્નના વેન્યુ, પોશાક, બ્રાઇડલ લહેંગા અને ગેસ્ટ લિસ્ટ સહિત લગ્ન વિશેની અનેક વિગતો સતત બહાર આવતી રહે છે. જો કે, રણબીર અને આલિયા કે અન્ય કોઈ સેલિબ્રિટીએ હજુ સુધી આમાંની કોઈપણ અટકળોની પુષ્ટિ કરી નથી. તાજેતરમાં, શાહિદ કપૂરે (Shahid Kapoor) પણ આ બહુચર્ચિત લગ્ન અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

શાહિદ કપૂર, જે હાલમાં તેની આગામી ફિલ્મ ‘જર્સી’ના (Jersey film) પ્રમોશનમાં વ્યસ્ત છે, તેને પૂછવામાં આવ્યું કે શું તે આલિયા અને રણબીરને તેમના લગ્નની પહેલા તેને કોઈ સંદેશ મોકલવા માંગે છે અથવા ઈચ્છે છે. અભિનેતા, જેણે અગાઉ 2015ની ફિલ્મ શાનદાર અને 2016ની ફિલ્મ ઉડતા પંજાબમાં આલિયા ભટ્ટ સાથે અભિનય કર્યો હતો, તેણે અત્યારે માત્ર અટકળોના આધારે તેણીને અને રણબીરને લગ્નના અભિનંદન આપવાનો ઇનકાર કર્યો હતો.

તેણે ઈન્ડિયા ટુડેને કહ્યું, “જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી હું ટિપ્પણી કરવાનું ટાળું છું. જ્યાં સુધી તે મીડિયાની અટકળો છે, તે એક અનુમાન માત્ર જ છે.”

આ પૂર્વે રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે પણ મીડિયા હાઉસીસનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, ”તેમના લગ્નનો નિર્ણય એ અમારા લોકો કરતા તેમની અંગત જિંદગીનો વધુ છે. અમે તેમને આ બાબતમાં સ્વતંત્રતા આપી છે. અમે તેમની અંગત જિંદગીમાં દખલઅંદાજી કરવા માંગતા નથી.”

રણધીરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે, “મને ખબર નથી કે લોકો આલિયા અને રણબીર સાથે આટલી સ્વતંત્રતા કેમ લે છે. તેઓ આરકેના ઘરમાં લગ્ન કરવાના છે? મેં એવું કંઈ સાંભળ્યું નથી. એવું નથી કે હું તેનાથી વાકેફ છું.” તેણે અગાઉ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું હતું કે તેણે લગ્ન વિશે કંઈ સાંભળ્યું નથી. તેણે કહ્યું, “જો અમારા ઘરે આટલા મોટા લગ્ન થઈ રહ્યા હોય, તો કોઈએ ચોક્કસ મને ફોન કરીને જાણ કરી હોત.”

અયાન મુખર્જીની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. તેઓએ તાજેતરમાં વારાણસીમાં એક સિક્વન્સનું શૂટિંગ કર્યા બાદ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું. ટ્રાયોલોજીનો પહેલો ભાગ, જેમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કીનેની અને મૌની રોય પણ છે, તે આગામી તા. 09/09/2022ના રોજ રિલીઝ થવાની છે.

 

આ પણ વાંચો – શું આલિયા ભટ્ટ ખરેખર ભારતીય નાગરિક નથી ?? અફવાઓ પાછળનું સત્ય જાણો અહીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:12 pm, Sun, 10 April 22

Next Article