બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રણબીરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. અભિનેતાને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી રણબીરનાં અંકલ રણધીર કપૂરે કરી દીધી છે. તેમણે કહ્યું કે તેમના ભત્રીજા રણબીર કપૂરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જેના કારણે તેઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તે જ સમયે, રણબીરની માતા અભિનેત્રી નીતુ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને પુષ્ટિ કરી કે રણબીર કપૂર કોરોના પોઝિટિવ બન્યો છે.
રણબીર કપૂરની માતા નીતુ સિંહે પુત્રની તસવીર શેર કરતા લખ્યું કે, ‘તમારી બધી ચિંતાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર. રણબીરનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તેઓ તેની દવાઓ લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ સુધરી રહી છે. રણબીર હાલમાં સેલ્ફ કવોરેન્ટાઈન છે અને તેના વિશે તમામ પ્રકારની સાવચેતી લઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે નીતુ સિંહ પૂર્વે રણબીરના કાકા રણધીર કપૂરે એક વેબસાઇટ સાથે વાત કરતાં કહ્યું હતું કે અભિનેતા કોરોના પોઝિટિવ છે. જ્યારે પૂછવામાં આવ્યું કે રણબીર કપૂરને કોરોનાનો ચેપ લાગ્યો છે, તો તેમણે હા પાડી હતી. જેમાં રણધીર કપૂરે કહ્યું, ‘મારું માનવું છે કે તેમની તબિયત સારી નથી, પણ મને ખબર નથી કે તે કેવી રીતે કોરોના સંક્રમિત થયા. હાલ હું શહેરમાં નથી.
તે જ સમયે રણબીર કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, આ દિવસોમાં તે તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે. આ સુપરહીરો ટ્રાયોલોજી ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્ર એક મહત્વાકાંક્ષી અને ખૂબ રાહ જોવાતી બોલીવુડ ફિલ્મ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત અભિનેત્રી આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કીનેની અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Published On - 11:31 pm, Tue, 9 March 21