Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ, પંજાબી રીતિ-રિવાજથી બંને લગ્ન કરશે

|

Apr 07, 2022 | 11:45 AM

Rabir Kapoor and Alia Bhatt Wedding : માત્ર રણબીર (Ranbir kapoor) અને આલિયા (Alia Bhatt) જ નહીં પરંતુ તેમના પરિવારે પણ આ મોટા લગ્ન વિશે મૌન સેવ્યું છે, પરંતુ તેમના લગ્ન વિશે દરરોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે.

Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ, પંજાબી રીતિ-રિવાજથી બંને લગ્ન કરશે
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)

Follow us on

રણબીર કપૂર  (Ranbir Kapoor)અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. જ્યારથી બંનેએ તેમના રિલેશનશિપની પુષ્ટિ કરી છે ત્યારથી તેમના ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના (Ranbir Kapoor and Alia Bhatt Wedding) સમાચાર હેડલાઇન્સમાં રહ્યા છે. તેમના લગ્નની વિગતો દરરોજ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના ફંક્શન(Wedding Function)  13 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલે બંને એકબીજા સાથે સાત ફેરા લેશે. જોકે, રણબીર અને આલિયાએ અત્યાર સુધી તેમના લગ્ન અંગે મૌન સેવ્યું છે.

રણબીર અને આલિયા પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે

આ દરમિયાન રણબીર અને આલિયાના (Actress Alia Bhatt) લગ્નને લઈને એક નવી માહિતી સામે આવી છે. એક TOI અહેવાલ અનુસાર ચેમ્બુરના RK બંગલોમાં આલિયા અને રણબીરના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નના ફંક્શનો 3 થી 4 દિવસ સુધી ચાલશે. ઉપરાંત બંને પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. હાલમાં લગ્નની તારીખની પુષ્ટિ થઈ નથી, પરંતુ માનવામાં આવે છે કે 17 એપ્રિલે બંને લગ્નના બંધનમાં બંધાશે.

માત્ર રણબીર અને આલિયા જ નહીં પરંતુ તેમના પરિવારે પણ આ મોટા લગ્ન અંગે મૌન સેવ્યું છે. આ કપૂર ખાનદાનના કદાચ  છેલ્લા લગ્ન હશે, તેથી તેઓ તેને યાદગાર બનાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે, આરકે બંગલો ઘણો આલીશાન છે. આ બંગલામાં વિશાળ ગાર્ડન છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને આમંત્રણ

મળતા અહેવાલ અનુસાર હાલમાં લગ્ન માટે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ નજીકના લોકોને લગ્ન વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે. આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત રણબીર કપૂર સાથે છેલ્લા ઘણા સમયથી કામ કરી રહેલા તેના હેરસ્ટાઈલિસ્ટ, ટેકનિશિયન, આસિસ્ટન્ટ અને સ્પોટ બોયઝને પણ આ લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવશે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : RRR Sequel : શું જુનિયર NTR અને રામ ચરણની ફિલ્મ ‘RRR’ ની સિક્વલ બનશે ? એસએસ રાજામૌલીએ કર્યો ખુલાસો

Next Article