Alia-Ranbir Marriage : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરશે, જાણો શું છે હકિકત

રણબીર અને આલિયા બંને ચેમ્બુરમાં આરકે સ્ટુડિયો સાઇટના લોજિસ્ટિક્સ પર કામ કરી રહ્યા છે, જ્યાં સમારોહ યોજાશે. કોઈ પુષ્ટિ થઈ નથી

Alia-Ranbir Marriage : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરશે, જાણો શું છે હકિકત
Ranbir Kapoor and Alia Bhatt (File Photo)
Image Credit source: instagram
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:54 PM

Alia-Ranbir Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. બંને લાંબા સમયથી સાથે જોવા મળે છે. આ બંનેના લગ્ન (Marriage)ના સમાચાર પણ મીડિયામાં ચાલી રહ્યા છે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ મહિનામાં એટલે કે એપ્રિલ 2022માં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હાલમાં જ બંને એક કપડાની દુકાનમાં જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી, જો કે, તેના આ સમાચારથી બોલિવૂડની સાથે-સાથે તેનો પરિવાર પણ ખૂબ જ ખુશ છે.

આલિયા-રણબીર એપ્રિલ મહિનામાં લગ્ન કરશે

દરેક વ્યક્તિ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે લગ્ન અપેક્ષા કરતા વહેલા થઈ શકે છે. ETimes ના સમાચાર મુજબ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એપ્રિલના બીજા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. કપૂર અને ભટ્ટ પરિવારના નજીકના એક સ્ત્રોતે ETimes ને જણાવ્યું હતું કે, “આલિયાના નાના એન રાઝદાનની હાલત ગંભીર છે અને તેમણે આલિયાને રણબીર સાથે લગ્ન કરવા જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મિસ્ટર રાઝદાન પણ રણબીર સાથે ખૂબ જ સારી રીતે મુલાકાત કરેલી છે અને તેને ખૂબ પ્રેમ કરે છે.

રણબીર અને આલિયા બંને તેમના 17 એપ્રિલના લગ્નનું આયોજન કરી રહ્યા છે. પરંતુ આલિયાના નાના એન રાઝદાનની તબિયતના આધારે આ તારીખ પણ એક-બે દિવસ આગળ વધારી શકાય છે. ETimes અનુસાર, સૂત્રએ તેમને કહ્યું છે કે લગ્નનો કાર્યક્રમ પરિવારો વચ્ચેનો એક નાનો પ્રસંગ હશે. લગ્ન એક દિવસ અથવા વધુમાં વધુ બે દિવસના હશે, જેમાં માત્ર નજીકના પરિવારના સભ્યો જ હાજરી આપશે. રણબીર અને આલિયા બંને ચેમ્બુરમાં આરકે સ્ટુડિયો સાઇટના લોજિસ્ટિક્સ પર કામ કરી રહ્યા છે, જ્યાં સમારોહ યોજાશે.

સમારોહમાં નજીકના પરિવાર અને મિત્રો હાજરી આપશે

સૂત્રએ કહ્યું, “આ સમારોહમાં કોઈ અસાધારણ હોવું જરૂરી નથી કારણ કે બંને પરિવારો માટે, રણબીર અને આલિયા પહેલેથી જ પરિણીત છે. આ એક નાનકડું ગેટ-ટુગેધર અને સેલિબ્રેશન છે, જે આલિયાના નાનાની ઈચ્છા પૂરી કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે