Ranbir Alia Wedding : બહુ જલ્દી સ્ટાર કપલ અપલોડ કરશે તેમના લગ્નની શાનદાર તસવીરો, જોતાં રહો ટીવી9 ગુજરાતી …

|

Jun 27, 2022 | 4:23 PM

Ranbir Alia Wedding : રણબીર કપૂરની (Ranbir Kapoor) જાન આજે કૃષ્ણા રાજ હાઉસથી તેના બીજા ઘર વાસ્તુ પહોંચશે, જ્યાં ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

Ranbir Alia Wedding : બહુ જલ્દી સ્ટાર કપલ અપલોડ કરશે તેમના લગ્નની શાનદાર તસવીરો, જોતાં રહો ટીવી9 ગુજરાતી ...
Ranbir Alia Wedding

Follow us on

Ranbir Kapoor-Alia Bhatt Marriage Updates : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને અભિનેત્રી આલિયા ભટ્ટના(Actress Alia Bhatt)  લગ્નને લઈને ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, ગઈકાલે આ સમાચારને મહોર મળી ગઈ હતી.આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલે લગ્નના (Ranbir Alia Wedding)બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રણબીર કપૂરની જાન આજે કૃષ્ણા રાજ હાઉસથી તેના બીજા ઘર વાસ્તુ પહોંચશે, જ્યાં ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં માત્ર પરિવાર અને કેટલાક નજીકના મિત્રો જ હાજરી આપશે.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jun 2022 11:03 AM (IST)

    20 કી-નોટ્સ, 30 સત્રો, 75 વક્તાઓ અને 20 થીમ્સ

    TV9 ભારત વર્ષ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. કોન્ફરન્સમાં 20 કીનોટ્સ, 30 સેશન, 75 સ્પીકર અને 20 થીમ હશે. સમિટના પ્રથમ દિવસે એટલે કે 17 જૂન 2022ના રોજ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ વૈશ્વિક વક્તા તરીકે ભાગ લેશે. તેમની સાથે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અબ્દુલ્લા શહીદ આ વૈશ્વિક સમિટમાં વક્તા તરીકે હાજર રહેશે.

  • 14 Apr 2022 04:42 PM (IST)

    રણબીર આલિયાના લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ મીઠાઈની કરાઇ વહેંચણી


  • 14 Apr 2022 04:10 PM (IST)

    રણબીર આલિયાના વેડિંગ ડેસ્ટિનેશન પર પહોંચ્યા રણધીર કપૂર

  • 14 Apr 2022 03:52 PM (IST)

    બ્રેક ટાઈમ પ્લીઝ !! લગ્નની વચ્ચે અત્યારે ચાલી રહ્યો છે બ્રેક ટાઈમ

  • 14 Apr 2022 03:47 PM (IST)

    શું આલિયા ભટ્ટનો ઓફિશિયલ વેડિંગ લૂક જાહેર થઈ ચૂક્યો છે ??

  • 14 Apr 2022 03:43 PM (IST)

    અંબાણી પરિવાર પણ પહોંચ્યો આલિયા – રણબીરના લગ્નમાં

  • 14 Apr 2022 03:39 PM (IST)

    રિદ્ધિમા કપૂર સાહની અને નીતુ કપૂરે ખૂબ જ શાનદાર વેડિંગ લૂક કર્યો છે કેરી

    Neetu Kapoor & Riddhima Kapoor Sahani

  • 14 Apr 2022 03:36 PM (IST)

    નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર પહોંચી ચૂક્યા છે વેડિંગ ડેસ્ટિનેશન પર

  • 14 Apr 2022 03:32 PM (IST)

    કરિશ્મા કપૂરે પણ કરીના કપૂર સાથે કર્યું ‘ટ્વિનિંગ’

  • 14 Apr 2022 03:28 PM (IST)

    નીતુ કપૂરે ઋષિ કપૂરને કર્યા આ પ્રસંગે યાદ

  • 14 Apr 2022 03:25 PM (IST)

    મનીષ મલ્હોત્રાના લેટેસ્ટ કલેકશનમાં ચમકી રહી છે કરીના કપૂર ખાન

  • 14 Apr 2022 03:19 PM (IST)

    રણબીરના લગ્નમાં શમ્મી કપૂરની પત્ની નીલા દેવી પહોંચી

  • 14 Apr 2022 03:07 PM (IST)

    કરીના કપૂર સૈફ અલી ખાન ઘરેથી થયા રવાના

    કરીના કપૂર સૈફ અલી ખાન સાથે લગ્નમાં હાજરી આપવા માટે પોતાના ઘરેથી નીકળ્યા છે. તેણે લાઇટ બેબી પિંક કલરની સાડી પહેરી છે.

  • 14 Apr 2022 03:01 PM (IST)

    આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ લગ્નમાં પહોંચી

    આલિયાની નાની બહેન શાહીન ભટ્ટ પણ લગ્નમાં પહોંચી છે. બપોરે 3.30 કલાકે ફેરા યોજાનાર છે.

  • 14 Apr 2022 02:35 PM (IST)

    આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન લગ્ન માટે રવાના થઈ છે

    Soni Razdan

  • 14 Apr 2022 02:24 PM (IST)

    આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને તેણીનો આ શાનદાર વેડિંગ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં સોનીએ પિન્ક & ગ્રીન કલરના મેચિંગવાળા લહેંગાની સાથે મેચિંગ ડાયમંડ જ્વેલેરી કેરી કરી છે. 

  • 14 Apr 2022 02:10 PM (IST)

    આલિયાના પરિવારજનો લગ્ન સ્થળ જવા રવાના

    આલિયા ભટ્ટના ઘરની બહારથી એક બસ નીકળી છે. જેમાં તેનો ભાઈ રાહુલ ભટ્ટ પણ બેઠેલો જોવા મળી રહ્યો છે.

  • 14 Apr 2022 01:26 PM (IST)

    ભાઈ રણબીરના લગ્ન માટે બહેન રિદ્ધિમા થઈ તૈયાર

    રિદ્ધિમા કપૂરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું છે કે મારા ભાઈના લગ્ન. તેણે મનીષ મલ્હોત્રાના આઉટફિટ પહેર્યા છે.

  • 14 Apr 2022 12:52 PM (IST)

    અનુષ્કા રંજન લગ્નમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી

    અભિનેત્રી અનુષ્કા રંજન આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે. તે રણબીર અને તેની સાથે વેકેશન પર પણ જતી રહી છે.

  • 14 Apr 2022 12:22 PM (IST)

    બપોરે 2 થી 5 વાગ્યા વચ્ચે આલિયા-રણબીર સાત ફેરા લેશે

    જાન કાઢવાની મંજુરી ન મળવાના કારણે હવે બપોરે 2 થી 5 વાગ્યા વચ્ચે આલિયા-રણબીર સાત ફેરા લેશે.

  • 14 Apr 2022 11:37 AM (IST)

    મુંબઈના તાજ કોલાબામાં થશે રિસેપ્શન ?

    એવું કહેવામાં આવી રહ્યું હતું કે રણબીર-આલિયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને મુંબઈના તાજ કોલાબામાં રિસેપ્શન આપવાના છે, પરંતુ હવે મીડિયામાં એવા અહેવાલ આવી રહ્યા છે કે આ સમારોહનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. હવે રિસેપ્શન રણબીર કપૂરના ઘરે વાસ્તુમાં જ યોજાશે.

  • 14 Apr 2022 10:54 AM (IST)

    રણધીર કપૂર પણ રણબીર અને આલિયાના લગ્નમાં હાજરી આપશે

    રણબીર કપૂરના કાકા રણધીર કપૂર પણ આજે તેમના અને આલિયા ભટ્ટના લગ્નમાં હાજરી આપશે. રિપોર્ટ અનુસાર, રણધીર કપૂર કોઈ કારણસર બુધવારે રણબીર અને આલિયાની મહેંદી સેરેમનીમાં સામેલ થઈ શક્યા નહોતા.

  • 14 Apr 2022 10:12 AM (IST)

    રણબીર કપૂરની માતા નીતુ અને બહેન રિદ્ધિમા પણ RK હાઉસ પહોંચી

  • 14 Apr 2022 10:11 AM (IST)

    હલ્દી સેરેમની માટે RK હાઉસ પહોંચ્યો આલિયાનો પરિવાર

  • 14 Apr 2022 10:10 AM (IST)

    સાસુ નીતુ કપૂરે આલિયાના કર્યા વખાણ

    જ્યારે નીતુ કપૂરે લગ્નની તારીખ જાહેર કરી, તે પહેલા તેણે પોતાની ભાવિ વહુના ખૂબ વખાણ કર્યા. નીતુ કપૂરે કહ્યું, હવે હું તેના વિશે શું કહું, તે બેસ્ટ છે. તો બીજી તરફ રિદ્ધિમાએ પણ આલિયા ભટ્ટ વિશે કહ્યું કે ,આલિયા ખૂબ જ ક્યૂટ છે, એકદમ ઢીંગલી ….

  • 14 Apr 2022 09:14 AM (IST)

    રણબીર-આલિયા લગ્ન બાદ પોતાના નવા ઘરમાં શિફ્ટ થશે

    અહેવાલો અનુસાર, રણબીર-આલિયા લગ્ન પછી તેમના 15 માળના નવા ઘરમાં શિફ્ટ થશે. જો કે, તે બિલ્ડીંગ હવે નિર્માણાધીન છે. પરંતુ પહેલા બે માળ તૈયાર છે. હવે સમાચાર છે કે રણબીર-આલિયા અને નીતુ કપૂર હવે આ ઘરમાં રહેશે.

  • 14 Apr 2022 08:55 AM (IST)

    રિદ્ધિમા સાહનીએ પણ તેના ભાઈના લગ્નમાં મહેંદી લગાવી

    રણબીર કપૂરનુ તેની બહેન રિદ્ધિમા સાહની સાથે ખૂબ જ ખાસ બોન્ડ છે. ભાઈના આ બિગ ડે પર રિદ્ધિમા સાહનીએ તેના હાથ પર મહેંદી પણ લગાવી છે. જેની તસવીર તેણે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

  • 14 Apr 2022 08:24 AM (IST)

    પ્રતિક કુહડે મહેંદી સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું

    જો કે રણબીર અને આલિયાની મહેંદી સેરેમનીમાં ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા, પરંતુ કપૂર પરિવારે આ સાંજને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. અહેવાલ મુજબ, મહેંદી સમારોહને સંગીતમય બનાવવા ગાયક પ્રતીક કુહડને બોલાવવામાં આવ્યો હતો, જેણે પોતાના પરફોર્મન્સથી રણબીર અને આલિયાની મહેંદી સેરેમનીમાં ચાર ચાંદ ઉમેર્યા હતા.

  • 14 Apr 2022 08:22 AM (IST)

    મહેંદી સેરેમનીમાં નીતુ કપૂરની આંખો ભીની થઈ

    નીતુ કપૂરે ગઈ કાલે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. આ ફોટો તેની અને ઋષિ કપૂરની સગાઈનો હતો. નીતુ અને ઋષિ કપૂરે 13 એપ્રિલે જ સગાઈ કરી હતી અને તે જ દિવસે તેમના પુત્ર રણબીર કપૂરના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મહેંદી સેરેમનીના અવસર પર નીતુની આંખો ભીની થઈ ગઈ હતી. પુત્રની ખુશી જોઈને નીતુને ઋષિ કપૂર સાથેની સગાઈનો દિવસ યાદ આવી ગયો.

  • 14 Apr 2022 08:21 AM (IST)

    સોની રાજદાન લાડલી દીકરી આલિયાને વિદાય આપશે

    આલિયા ભટ્ટની માતા સોની રાજદાન તેને બીજી વખત વિદાય આપવાની તૈયારી કરી રહી છે. જી હા, આ વાત સાચી છે… પણ ફરક એટલો જ છે કે સોનીએ એક વખત રીલ લાઈફમાં તેની વહાલી દીકરીને વિદાય આપી હતી અને હવે તે તેને રિયલ લાઈફમાં વિદાય આપવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘રાઝી’માં સોનીએ આલિયાની માતાની ભૂમિકા ભજવી હતી અને તેણે આ ફિલ્મમાં પણ પોતાની લાડલી દીકરીને વિદાય આપી હતી.

  • 14 Apr 2022 07:51 AM (IST)

    આ મેકઅપ આર્ટિસ્ટ રણબીરની દુલ્હન આલિયાને તૈયાર કરશે

    સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ માઈકી કોન્ટ્રેક્ટર આલિયા ભટ્ટના બિગ ડેને વધુ ખાસ બનાવશે. રિપોર્ટ્સ અનુસાર આલિયાનો બ્રાઈડલ મેકઅપ માઈકી કરશે.

  • 14 Apr 2022 07:34 AM (IST)

    સવારે 11 વાગ્યાથી લગ્નની વિધિઓ શરૂ થઈ જશે

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની  વિધિઓ સવારે 11 વાગ્યેથી શરૂ થશે. મીડિયાના અહેવાલો અનુસાર,પાઘડીની વિધિ બાદ જાન નીકળવાની તૈયારીઓ કરવામાં આવશે.

  • 14 Apr 2022 07:32 AM (IST)

    લગ્નમાં શ્વેતા બચ્ચન નંદાને પણ આમંત્રણ આપવામાં આવ્યું

    આ લગ્નમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્વેતા રણબીરના દાદા રાજ કપૂરની બહેન રિતુ નંદાની વહુ છે. શ્વેતા પણ દીકરી નવ્યા સાથે મહેંદી સેરેમનીમાં પહોંચી હતી.

  • 14 Apr 2022 07:31 AM (IST)

    લગ્નમાં ખાસ લોકો જ હાજરી આપશે

    કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન માટે માત્ર 25 થી 30 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.

  • 14 Apr 2022 07:31 AM (IST)

    શાહી અંદાજમાં રણબીરની જાન નીકળશે

    નીતુ કપૂરે મહેંદી સેરેમની બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન વિશે પાપારાઝી સાથે કેટલીક વાતો શેર કરી હતી, જેમાં તેણે વેન્યુ પર લગ્નની તારીખ વિશે જણાવ્યું હતું. નીતુ કપૂરે આલિયા વિશે વાત કરતાં કહ્યું કે હું તેના વિશે શું કહું, તે ખૂબ સારી છે. ત્યારે તેની પુત્રી રિદ્ધિમા હસતાં હસતાં કહે છે, તે ખૂબ જ સુંદર છે. આ પછી જ્યારે પાપારાઝીએ લગ્નની તારીખ અને સ્થળ વિશે પૂછ્યું તો નીતુ કપૂરે કહ્યું કે આ લગ્ન આવતીકાલે એટલે કે 14 એપ્રિલે વાસ્તુમાં થશે.

Published On - 7:29 am, Thu, 14 April 22