
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ’ પર વિવાદ ચાલી રહ્યો હોય તેવું લાગે છે. દિલ્હીમાં રામલીલા મહાસંઘે માંગ કરી છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તે પહેલાં તેમના માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રામલીલા મહાસંઘના પ્રમુખ અર્જુન કુમારે ટ્રેલરમાં કેટલાક દ્રશ્યો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કલાકારોના પોશાકોને વિચિત્ર ગણાવ્યા અને ટિપ્પણી કરી કે ટ્રેલર ‘રામાયણ’ના સાચો સાર દર્શાવવામાં નિષ્ફળ ગયું છે. તેમણે ભાર મૂક્યો કે ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ.
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘રામાયણ’ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. નમિત મલ્હોત્રા દ્વારા બે ભાગમાં આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે બંને ભાગનું સંયુક્ત બજેટ આશરે ₹4,000 કરોડ છે. જોકે, આ ઊંચા બજેટના પ્રોજેક્ટ પર વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે, અને નિર્માતાઓને રિલીઝ થાય તે પહેલાં જ ચેતવણી મળી છે.
VIDEO | Delhi: On the upcoming film ‘Ramayana’, Shri Ramleela Mahasangh President Arjun Kumar says, “We welcome this film and encourage millions of people to watch it. We will even arrange free screenings for members of the Ramleela Committee. However, the trailer caused us some… pic.twitter.com/IdDXbNay0u
— Press Trust of India (@PTI_News) August 2, 2026
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં અર્જુન કુમારે કહ્યું, “અમે ફિલ્મનું સ્વાગત કરીએ છીએ. અમે લાખો લોકોને તે જોવા માટે પ્રોત્સાહિત પણ કરીશું અને રામલીલા સમિતિના સભ્યો માટે મફત સ્ક્રીનીંગની વ્યવસ્થા પણ કરીશું. જોકે, ટ્રેલરે અમને થોડી તકલીફ આપી. તે યોગ્ય ભાવના કે સાર વ્યક્ત કરવામાં નિષ્ફળ ગયું છે. કોસ્ચ્યુમ જુઓ તે એકદમ વિચિત્ર લાગતા હતા. આના કારણે અમે નિર્માતાઓ અને દિગ્દર્શકને ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં રામલીલા સમિતિના સભ્યો માટે સ્ક્રીનીંગ કરવા કહ્યું.”
તેમણે કહ્યું, “આ ફિલ્મ સનાતન ધર્મના લોકોને બતાવવામાં આવશે. જો ફિલ્મમાં કોઈ ખામીઓ જોવા મળશે, તો અમે અમારો અભિપ્રાય આપીશું. અમે ફિલ્મનું સ્વાગત કરીશું. જોકે, જો ફિલ્મ અમને બતાવવામાં નહીં આવે અને રિલીઝ કરવામાં આવે જેમ કે આદિપુરુષ આવ્યું જેણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાળી, જો આ રામાયણમાં પણ આમ હશે તો અમે ચેતવણી આપીએ છીએ કે અમે ફિલ્મ ચલાવવા દઈશું નહીં. અમે રામલીલા મહાસંઘ અને દિલ્હીની રામલીલા સમિતિઓ વતી આ જાહેરાત કરી છે. અમારું વલણ એ છે કે અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં.”
તેમણે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “અમે ફિલ્મનું સ્વાગત કરીએ છીએ. જોકે, પૌરાણિક કથા સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ. જો આવી કોઈ છેડછાડ થાય છે. ઉદાહરણ તરીકે, કોસ્ચ્યુમ અંગે, જેમ અમે ટ્રેલર જોયા પછી નોંધ્યું હતું તો અમે વાંધો ઉઠાવીશું. ફિલ્મમાં જે આવશ્યક ભાવના હોવી જોઈએ તેનો અભાવ છે. ભગવાન રામનો સાચો સાર દેખાતો નથી. ઓછામાં ઓછું, તે ભાવના સ્પષ્ટ હોવી જોઈએ.”
પ્રભાસ અભિનીત ફિલ્મ આદિપુરુષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આપણા સંવાદો અથવા આપણા પ્રાચીન શાસ્ત્રો સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, જેમ કે આદિપુરુષ સાથે થયું હતું. અમારો ઉદ્દેશ્ય આ છે. અમે રામલીલા (રામાયણ) ફિલ્મના આગમનનું સ્વાગત કરીએ છીએ. જો કે તે રિલીઝ પહેલાં અમારા માટે પ્રદર્શિત કરવામાં આવે અને અમે સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખીએ, તો અમે ફેરફારો સૂચવીશું અને ખાતરી કરીશું કે તે કરવામાં આવે; અમે પછી તેની રિલીઝનું સ્વાગત કરીશું. પરંતુ જો કંઈ ખોટું હશે, તો અમે તેનો વિરોધ કરીશું.”