Aryan Khan Drug : કોર્ટે 20 ઓક્ટોબર સુધી નિર્ણય અનામત રાખ્યો, આર્યન ખાન હજુ 6 દિવસ જેલની હવા ખાશે

|

Oct 14, 2021 | 6:36 PM

આ કેસમાં ચુકાદો 20 ઓક્ટોબરે સંભળાવવામાં આવશે. એટલે કે, હવે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને 6 દિવસ જેલમાં રહેવું પડશે.

Aryan Khan Drug : કોર્ટે 20 ઓક્ટોબર સુધી નિર્ણય અનામત રાખ્યો, આર્યન ખાન હજુ 6 દિવસ જેલની હવા ખાશે
Aryan Khan

Follow us on

Aryan Khan Drug : આજે કોર્ટ આર્યનની જામીન પર પોતાનો ચુકાદો આપ્યો હતો.મુંબઈ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પર 20 ઓક્ટોબરનો આદેશ અનામત રાખ્યો છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બુધવારે સેશન્સ કોર્ટે બપોરે 3 વાગ્યે આ કેસમાં સુનાવણી શરૂ કરી હતી. આ દરમિયાન એનસીબી અને આર્યનના વકીલે જામીન અંગે દલીલો રજૂ કરી હતી. સાંજે 6.45 વાગ્યા સુધી સુનાવણી ચાલુ રહી. આ પછી, કોર્ટે જામીન પરનો નિર્ણય બીજા દિવસ સુધી એટલે કે ગુરુવાર સુધી મુલતવી રાખ્યો. આરસીને જામીન ન મળે તે માટે એનસીબીની ટીમ પ્રયાસ કરી રહી હતી. એનસીબીએ બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે આર્યન ડ્રગ્સ સાથે ન મળ્યો હોવા છતાં તે ડ્રગ પેડલર સાથે સંપર્કમાં હતો. આ એક મોટું ષડયંત્ર છે. તે તપાસવું જરૂરી છે.

ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન(Aryan Khan Drugs Case) ની સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વકીલની લાંબી દલીલો છતાં આર્યન અત્યારે કોર્ટમાંથી રાહત મેળવી શક્યો નથી. આજે મુંબઈ સેશન્સ કોર્ટ(Mumbai Sessions Court) માં તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. પરંતુ કોર્ટે આજે આર્યન ખાન (Aryan Khan)ને જામીન આપ્યા નથી. જામીન અરજી પરનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. હવે 20 ઓક્ટોબરે જ સ્પષ્ટ થશે કે, આર્યનને જામીન મળશે કે નહીં. ત્યાં સુધી આર્યન સહિત તમામ આરોપીઓએ આર્થર રોડ જેલમાં રહેવું પડશે. આર્યને અત્યારે 6 દિવસ જેલમાં વિતાવવા પડશે. તેના પછી જ કોર્ટ તેના જામીન પર ચુકાદો સંભળાવશે.

તમને જણાવી દઈએ કે આજે મુંબઈની કોર્ટમાં આર્યન ખાનનો પક્ષ વકીલ અમિત દેસાઈ(Lawyer Amit Desai)એ રાખ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે માત્ર ષડયંત્રની શક્યતા કહીને તેમના જામીનનો વિરોધ કરી શકાતો નથી. વકીલે કહ્યું કે, આર્યનના ફોનમાં કોઈ રેવ પાર્ટીનો ઉલ્લેખ નથી. તેમણે કહ્યું કે આ સંયુક્ત સ્થિતિ નથી. અમિત દેસાઈ(Lawyer Amit Desai)એ અદાલતમાં કહ્યું હતું કે જો તેઓ એમ માને છે કે આમ છે, તો પણ તે હજુ સુનાવણીનો વિષય છે. વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આર્યન  (Aryan Khan)ઘણા વર્ષોથી વિદેશમાં હતો. ત્યાં ઘણી વસ્તુઓ કાયદેસર હતી. શક્ય છે કે, ત્યાંના લોકો બીજી કોઈ વાત કરી રહ્યા છે, જેમાં આર્યનનો સમાવેશ થાય છે. જોકે, અમિત દેસાઈએ કહ્યું કે તેમને ખબર નથી કે આ બધા વચ્ચે શું થયું.

NCB આર્યન ખાનના જામીનનો વિરોધ કરે છે

આર્યન (Aryan Khan) પણ જામીન પર સુનાવણી દરમિયાન એનસીબીએ કહ્યું કે તેની પાસે આવા ઘણા પુરાવા છે જે દર્શાવે છે કે તે છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સ લેતો હતો. તપાસ એજન્સીનું કહેવું છે કે તેમની માહિતી મુજબ તે અન્ય દેશોમાં પણ ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો. NCB આર્યન ખાનના જામીનનો વિરોધ કરે છે. તે જ સમયે, તેના વકીલ અમિત દેસાઈએ આ સમયગાળા દરમિયાન રિયાના ભાઈ શૈવિક ચક્રવર્તીના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સૌવિકના કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ તેમને જામીન મળ્યા છે. એટલા માટે આર્યન ખાન(Aryan Khanને પણ આ કેસમાં જામીન મળવા જોઈએ.

આર્યનના વકીલે કોર્ટમાં પોતાની ખાનગી ચેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજકાલ લોકો સિનેમામાં ડ્રગ્સ વિશે વાત કરે છે, તેના પર એક પુસ્તક લખવામાં આવે છે, તેનો અર્થ એ નથી કે, તે બધા ડ્રગ સ્મગલિંગ સાથે સંબંધિત છે. અમિત દેસાઈએ કહ્યું કે તેનો સંદર્ભ જોવો પણ ખૂબ જ જરૂરી છે. અમિત દેસાઈએ ASG ને કહ્યું કે હકીકતના નામે ઘણું ખોટું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આર્યન(Aryan Khan)ની તપાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અબ્દુલ પાસેથી વ્યાપારી જથ્થો મળ્યો હતો. પણ તેને આર્યન સાથે કોઈ લેવાદેવા નથી. તેનું નામ આર્યન કે અરબાઝ અને અચિત દ્વારા આપવામાં આવ્યું ન હતું. અમિત દેસાઈએ કોર્ટને પૂછ્યું કે પછી અબ્દુલને આર્યન સાથે શું સંબંધ હતો?

કોર્ટ 20 ઓક્ટોબરે જામીન પર ચુકાદો આપશે

જણાવી દઈએ કે, ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરના રોજ, ફોર્ટ કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 4 ઓક્ટોબરની સુનાવણીમાં તેના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી NCB રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 7 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આજે પણ આર્યન ખાનને કોર્ટમાંથી રાહત મળી શકી નથી. તેને હવે 6 દિવસ જેલમાં પણ રહેવું પડશે. 20 ઓક્ટોબરે જ તેના જામીન પર કંઈપણ સ્પષ્ટ થશે. કોર્ટે આજે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

આ પણ વાંચો : વરુણ ગાંધીએ ખેડૂતોનુ ફરીથી કર્યુ સમર્થન, ઈન્દિરા ગાંધીને ચેતવણી આપતા અટલ બિહારી વાજપેયીનો વીડિયો કર્યો શેર

Published On - 5:00 pm, Thu, 14 October 21

Next Article