
ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને કરોડો લોકોના મનપસંદ ગાયિકા આશા ભોસલે અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શનિવારે અચાનક તબિયત બગડતા તેમને મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. પ્રતીત સમદાનીના જણાવ્યા અનુસાર, 11 એપ્રિલના રોજ શનિવારે 92 વર્ષીય આશા ભોસલેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના પગલે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશા ભોંસલે હાલમાં ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ યુનિટમાં સારવાર હેઠળ છે.
માત્ર 10 વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરનાર આશા ભોસલેએ ભારતીય સિનેમાને હજારો યાદગાર ગીતો આપ્યા છે. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ પાથર્યો છે.
આશા ભોસલે સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્ગજ ગાયિકા સ્વ. લતા મંગેશકરના નાના બહેન છે. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. તેમના લગ્ન જાણીતા સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા, જેમના સંગીત નિર્દેશનમાં આશાજીએ અનેક સુપરહિટ ગીતો આપ્યા છે.
આશા ભોસલેના સંગીત પ્રદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે:
90 વર્ષની વયે પણ આશા તાઈ હંમેશા ઉત્સાહી અને હસમુખા જોવા મળતા રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલિવૂડની હસ્તીઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહી છે. સંગીત પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે કે તેમનો સુરીલો અવાજ ફરી એકવાર ગુંજી ઊઠે.
Published On - 9:03 pm, Sat, 11 April 26