લતા મંગેશકર વિશે અભિનેતા ધર્મેન્દ્રએ કર્યો મોટો ખુલાસો, કહ્યું ‘ તે એકલતાથી દુર જવા માંગતા હતા’

|

Feb 13, 2022 | 4:32 PM

લતા મંગેશકર આજે આપણી વચ્ચે નથી.તમને જણાવી દઈએ કે, પિતાના મૃત્યુ બાદ લતા મંગેશકરે તેમના પરિવાર માટે લગ્ન કર્યા ન હતા.

લતા મંગેશકર વિશે અભિનેતા ધર્મેન્દ્રએ કર્યો મોટો ખુલાસો, કહ્યું  તે એકલતાથી દુર જવા માંગતા હતા
Dharmendra and Lata Mangeshkar (File Photo)

Follow us on

લતા મંગેશકરે (Lata Mangeshkar) ગયા રવિવારે દુનિયાને અલવિદા કહ્યુ હતુ. લેજન્ડ સિંગરના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો હતો. ત્યારે ધર્મેન્દ્રએ (Actor Dharmendra) હવે લતા મંગેશકર વિશે ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરે ધર્મેન્દ્ર માટે ઘણા ગીતો ગાયા હતા, જેમાં સાથિયા નહીં જાના કે જી ના લગે, ગીર ગયા ઝુમકા ગીરને દો, ઝિલમિલ સિતારો કા આંગન હોગા અને આપકી નજરો ને સમજા.. જેવા લોકપ્રિય ગીતોનો સમાવેશ થાય છે.

લતાજી એકલતાથી દુર જવા માંગતા હતા

ધર્મેન્દ્રએ આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં લતા મંગેશકરને લઈને કહ્યુ હતુ કે, ‘જ્યારે મને ખબર પડી કે તે મારી ફિલ્મ અનપઢનું સોંગ આપ કી નજરોંને સમજા…. ગાવા જઈ રહી છે, ત્યારે હું ખૂબ જ ખુશ હતો. હું વિચારતો હતો કે મારે કોને કહેવું જોઈએ. મેં બધાને પત્ર લખ્યો કે લતા દીદી મારા માટે ગીત ગાવાના છે. વર્ષો પછી જ્યારે અમે મળ્યા ત્યારે તેણે કહ્યું કે તમે મને પહેલીવાર મળ્યા ત્યારે તે જ શર્ટ પહેર્યો હતો. અમે ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વાતો કરતા હતા. તેની સાથે વાત કરતાં એવું લાગતું હતું કે તે તેની એકલતામાંથી દુર જવા માંગતા હતા.

અગાઉ પણ ઈન્ટરવ્યુમાં ધર્મેન્દ્રએ લતા મંગેશકર વિશે વાત કરી હતી અને કહ્યુ હતુ કે, તેઓ દીદીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સંમત થયા હતા, પરંતુ તેઓ ત્યાં જવાની હિંમત કરી શક્યા ન હતા. જે દિવસે લતા મંગેશકરનું અવસાન થયું તે દિવસે ધર્મેન્દ્રએ તેમની સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું હતુ કે, આજે આખી દુનિયા દુઃખી છે. વિશ્વાસ નથી થતો કે તમે અમને બધાને છોડીને ચાલ્યા ગયા છો. અમે તમને ખૂબ જ યાદ કરીશું લતાજી….. તમારા આત્માને શાંતિ મળે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

ધર્મેન્દ્રની પ્રોફેશનલ લાઈફ

ધર્મેન્દ્ર તેમનો મોટાભાગનો સમય તેમના ફાર્મહાઉસમાં વિતાવે છે. છેલ્લે તે બોલિવૂડ ફિલ્મ શિમલા મિર્ચમાં જોવા મળ્યા હતો જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. આ પછી તે એ જ વર્ષે પંજાબી ફિલ્મ જોરામાં જોવા મળ્યો હતા.

હાલ ધર્મેન્દ્ર પાસે 2 બોલિવૂડ ફિલ્મો છે, જેમાં અપને 2 અને રોકી અને રાની કી લવસ્ટોરીનો સમાવેશ થાય છે. અપને 2 માં તે સની દેઓલ, બોબી દેઓલ અને પૌત્ર કરણ સાથે જોવા મળશે. જ્યારે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન અને શબાના આઝમી સાથે રોકી અને રાનીની લવસ્ટોરીમાં તેઓ જોવા મળશે.

આ પણ વાંચો : VIDEO: સલમાન ખાને ખાસ રીતે લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ, દીદીને યાદ કરીને ગાયું આ આઈકોનિક સોંગ

Published On - 2:44 pm, Sun, 13 February 22

Next Article