Irrfan Khan નાં પુત્ર બાબિલે કર્યોં ખુલાસો, કહ્યું હોસ્પિટલના પલંગ પર પડેલા પિતાના શું હતા અંતિમ શબ્દો

|

Apr 28, 2021 | 3:21 PM

ઇરફાન ખાને દુનિયા છોડી તેને એક વર્ષ થઈ ગયું છે. તેમણે ગયા વર્ષે 29 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. ઇરફાન ખાનના અવસાનથી સમગ્ર રાષ્ટ્રને સ્તબ્ધ કરી દિધુ હતું.

Irrfan Khan નાં પુત્ર બાબિલે કર્યોં ખુલાસો, કહ્યું હોસ્પિટલના પલંગ પર પડેલા પિતાના શું હતા અંતિમ શબ્દો
Irrfan Khan, Babil Khan

Follow us on

બોલિવૂડના દિગ્ગજ પ્રખ્યાત અભિનેતા ઇરફાન ખાને દુનિયા છોડી તેને એક વર્ષ થઈ ગયું છે. તેમણે ગયા વર્ષે 29 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. ઇરફાન ખાનના અવસાનથી સમગ્ર રાષ્ટ્રને સ્તબ્ધ કરી દિધુ હતું. ઇરફાન ખાનના ચાહકો અને નજીકના મિત્રો આજે પણ તેમને યાદ કરે છે. તેમનો પુત્ર બાબીલ ખાન ઘણીવાર તેમની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આટલું જ નહીં, બાબિલ ખાન તેમના ઇન્ટરવ્યૂમાં પણ તેમના પિતા ઇરફાન વિશે ખાસ ખુલાસા કરતા રહે છે. હવે ફરી એકવાર બાબિલ ખાને તેમના વિશે મોટી વાત કહી છે, જેની ઘણી ચર્ચા થઈ રહી છે. બાબીલે પિતા ઇરફાન ખાનના તે છેલ્લા શબ્દો વિશે કહ્યું જે તેમણે હોસ્પિટલમાં પુત્ર બાબિલ સાથે વાત કરી હતી. બબીલે એ પણ કહ્યું છે કે ઇરફાન ખાનની વાત સાંભળીને તેમણે કેવી પ્રતિક્રિયા આપી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

બાબિલ ખાન અને તેમની માતા સુતાપા સિકદરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. આ સમય દરમિયાન, બંનેએ ઇરફાન ખાન વિશે પણ ઘણાં ખુલાસા કર્યા હતા. બબીલે કહ્યું છે કે ઇરફાન ખાને તેમને છેલ્લી વાર કહ્યું હતું કે તે મરી જશે. બાબિલ ખાને કહ્યું, ‘હું હોસ્પિટલમાં હતો, તેમના મૃત્યુ પામ્યાના બે-ત્રણ દિવસ પહેલા. તેઓ ચેતના ગુમાવી રહ્યા હતા અને સૌથી છેલ્લી વાત કરી તેમણે મને જોયો અને હસતા મને કહ્યું કે ‘હું મરી જઈશ’ અને મેં કહ્યું ‘ના, તમે નથી મરી રહ્યા’. તે પછી તે હસીને પાછા સૂઈ ગયા. ‘

નોંધપાત્ર વાત એ છે કે ઇરફાન ખાનને દુનિયા છોડીને એક વર્ષ થઈ ગયું છે. આ એક વર્ષમાં એક ક્ષણ પણ તેમના પરિવાર, મિત્રો અને ચાહકો માટે એવા નથી રહ્યા જ્યારે તેમણે ઇરફાનને યાદ નથી કર્યાં. તાજેતરમાં જ 93 મો ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો છે. આ દરમિયાન ઇરફાનને પણ યાદ કરવામાં આવ્યા હતા અને તેમને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ક્ષણ ઇરફાનના ચાહકો માટે ખૂબ ભાવનાત્મક હતી.

તમને જણાવી દઈએ કે ઇરફાન ખાન બે વર્ષથી ન્યુરોએંડ્રોક્રાઇન ટ્યુમરથી પીડિતા હતા. તેમની સારવાર લાંબા સમય સુધી ચાલી હતી, પરંતુ પીઢ અભિનેતા આ રોગથી હારી ગયા. ઇરફાન ખાન છેલ્લે કરીના કપૂરની વિરુદ્ધ ફિલ્મ ‘ઇંગ્લિશ મીડિયમ’ માં જોવા મળ્યા હતા. તેમના પુત્ર બાબિલની વાત કરીએ તો, બાબીલ જલ્દીથી નેટફ્લિક્સ ફિલ્મ Qala થી ડેબ્યૂ કરશે. અનુષ્કા શર્માની પ્રોડક્શન ફિલ્મનું દિગ્દર્શન અન્વિતા દત્તે કર્યું છે.

Next Article