IPL 2022ની ફાઈનલમાં રિલીઝ થશે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર, ચાહકોએ સોશિયલ મીડિયા પર તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની કરી માંગ

|

May 29, 2022 | 6:03 PM

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢા (laal singh chaddha)નું ટ્રેલર રિલીઝ કરવાની જોરશોરથી તૈયારીઓ કરી છે અને તે તેને IPL 2022ની ફાઈનલ દરમિયાન લોન્ચ કરવા જઈ રહ્યો છે. લોકોને ફિલ્મ મેકર્સ અને એક્ટર્સનો આ પ્રમોશનલ સ્ટંટ પસંદ નથી આવી રહ્યો અને તેઓ તેનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

IPL 2022ની ફાઈનલમાં રિલીઝ થશે લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર, ચાહકોએ સોશિયલ મીડિયા પર તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની કરી માંગ
Aamir Khan
Image Credit source: Instagram

Follow us on

IPL 2022: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ કહેવાતા સુપરસ્ટાર આમિર ખાન (aamir khan) અને તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (laal singh chaddha) સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આમિર ઈચ્છે છે કે તેની ફિલ્મને આઈપીએલ (IPL 2022)ની લોકપ્રિયતાનો લાભ મળે, તેથી અભિનેતા આઈપીએલની ફાઈનલમાં લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર લૉન્ચ કરશે, જેનું હોસ્ટ બીજું કોઈ નહીં પણ આમિર ખાન પોતે કરી રહ્યાં છે. ફિલ્મના નિર્માતાઓએ હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી છે,

ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો એ હકીકતથી સારી રીતે વાકેફ છે કે ફાઈનલના દિવસે મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન ત્યાં રહેશે. આવી સ્થિતિમાં ફિલ્મ મેકર્સ મેચની વચ્ચે ટ્રેલર લોન્ચ કરીને તેની ટીઆરપીનો ફાયદો ઉઠાવી શકે છે. આવી સ્થિતિમાં આમિરનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે અને યુઝર્સ તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. #AamirKhan અને #LaalSinghChaddha ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ હેશટેગ સાથે યુઝર્સ કોમેન્ટમાં પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

 

 

 

 

 

 

 

 

પ્રતિક્રિયાઓ જુઓ

હવે આનાથી ફિલ્મને કેટલો ફાયદો થશે, તે તો સમય જ નક્કી કરશે, પરંતુ ટ્વિટર પર લોકો આમિર ખાનને તેના જૂના નિવેદનોને યાદ કરીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ તેમની જૂની વાતો પણ યાદ કરી. એકવાર તેણે કહ્યું હતું કે તેના શોમાં ‘ભગવાન શિવ પર દૂધ’ ચઢાવવું નકામું છે,

Next Article