શું સુષ્મિતા સેન અને રોહમન શૉલનું થઇ ગયુ છે બ્રેકઅપ ? બોયફ્રેન્ડે છોડ્યુ અભિનેત્રીનું ઘર

આ વર્ષની શરૂઆતમાં, સુષ્મિતાએ તેના સોશિયલ મીડિયા પર એક અર્થહીન સંબંધમાંથી બહાર નીકળવાની વાત કરી હતી. ત્યારથી ફેન્સને લાગ્યું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે, થોડા સમય પછી આ કપલ જાહેરમાં સાથે દેખાયા

શું સુષ્મિતા સેન અને રોહમન શૉલનું થઇ ગયુ છે બ્રેકઅપ ? બોયફ્રેન્ડે છોડ્યુ અભિનેત્રીનું ઘર
Have Sushmita Sen and Rohman Shawl broken up?
| Edited By: | Updated on: Dec 23, 2021 | 3:21 PM

બોલિવૂડ (Bollywood) અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) અને રોહમન શૉલની (Rohman Shawl) જોડી ચાહકોને પસંદ છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. અભિનેત્રી ઘણીવાર તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુષ્મિતા સેને તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ કરી લીધું છે.

અહેવાલો અનુસાર, કપલ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું, તેથી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સૂત્રના જણાવ્યા અનુસાર, સુષ્મિતાએ રોહમન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. રોહમને અભિનેત્રીનું ઘર છોડી દીધું છે અને હાલમાં તે તેના મિત્રના ઘરે રહે છે. સુષ્મિતા અને રોહમન ઘણીવાર એકબીજા સાથે જોવા મળતા હતા. ફેન્સ બંનેને વારંવાર સવાલ કરતા હતા કે તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો. પરંતુ હવે લગ્ન તો દૂરની વાત છે, બંનેએ પોતાના સંબંધોનો અંત લાવી દીધો છે. આ જાણીને ચાહકો ચોક્કસપણે દુઃખી થઈ શકે છે.

પહેલા ચાહકો ઈચ્છતા હતા કે લવબર્ડ જલ્દી લગ્ન કરી લે. થોડા સમય પહેલા રોહમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુષ્મિતા, તેની દીકરીઓ અને હું એક પરિવાર છીએ. ક્યારેક હું તેમના માટે પિતા જેવો છું, ક્યારેક હું મિત્ર જેવો છું અને ક્યારેક અમે લડીએ છીએ. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો, તો તેણે જવાબ આપ્યો કે હમણા તો તે વેબ સિરીઝની સફળતાને ઉજવી રહ્યા છે. બાકીનું આગળ વિચારશે.

આ વર્ષની શરૂઆતમાં, સુષ્મિતાએ તેના સોશિયલ મીડિયા પર એક અર્થહીન સંબંધમાંથી બહાર નીકળવાની વાત કરી હતી. ત્યારથી ફેન્સને લાગ્યું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે, થોડા સમય પછી આ કપલ જાહેરમાં સાથે દેખાયા અને બ્રેકઅપના સમાચારને અફવા ગણાવ્યા. બીજી બાજુ, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સુષ્મિતા સેન તાજેતરમાં આર્ય 2 માં જોવા મળી હતી. અભિનેત્રીની જોરદાર એક્ટિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો –

IPL 2022 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો ધમાકો, 22 હજાર રન બનાવનારા અને 1347 વિકેટ ઝડપનારા દિગ્ગજોને કર્યા સામેલ

આ પણ વાંચો –

UP: પ્રિયંકા ગાંધીએ અયોધ્યા મંદિર માટે જમીન ખરીદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- દલિતોની જમીન પર કરવામાં આવ્યો કબજો

આ પણ વાંચો –

Ahmedabad : SIM card hackingનો મોટો કિસ્સો , ઠગબાજોએ એક દુકાનની ફ્રેન્ચાઇઝી શ્રેણીને લાખોનો ચૂનો લગાડયો