Vivek Agnihotri: આતંકના નિશાના પર હવે માત્ર કાશ્મીરી પંડિતો જ નહીં હિન્દુઓ પણ છે, કાશ્મીરમાં હત્યા પર વિવેક અગ્નિહોત્રીનું મોટું નિવેદન

|

Jun 02, 2022 | 6:13 PM

કુલગામમાં રાજસ્થાનના એક બેંક મેનેજર વિજય કુમારને આતંકવાદીઓ ગોળી મારીને મારા નાખ્યો હતો. વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) આના પર ટ્વીટ કરીને ઘણા સવાલો ઉભા કર્યા છે.

Vivek Agnihotri: આતંકના નિશાના પર હવે માત્ર કાશ્મીરી પંડિતો જ નહીં હિન્દુઓ પણ છે, કાશ્મીરમાં હત્યા પર વિવેક અગ્નિહોત્રીનું મોટું નિવેદન
Vivek Agnihotri
Image Credit source: Instagram

Follow us on

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir Files) નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી (Vivek Ranjan Agnihotri) આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ડિરેક્ટરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને લઈને તે હેડલાઈન્સમાં છે. તાજેતરમાં રાજસ્થાનમાં એક બેંક મેનેજરની હત્યાને લઈને વિવેક રંજન અગ્નિહોત્રીનું એક ટ્વિટ સામે આવ્યું છે. તેણે પોતાના ટ્વીટમાં આતંકવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. આગલા દિવસે ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમ માટે ડાયરેક્ટરને આમંત્રણ આપ્યા બાદ છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જે બાદ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ગુરુવારે ફરી એકવાર ચર્ચામાં આવેલા ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીનું એક ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વિટમાં તેણે ખુલ્લેઆમ આતંકવાદી ગતિવિધિઓ વિશે વાત કરી છે. તેણે રાજસ્થાનમાં એક બેંક મેનેજરના મોતને ગુરુવારે થયેલા આતંકવાદી હુમલા સાથે સીધો સાંકળ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટમાં તેણે કહ્યું છે કે હવે માત્ર કાશ્મીરી પંડિતો જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ આતંકવાદીઓના નિશાના હેઠળ આવી ગયો છે. જેમાં છેલ્લા 70 વર્ષથી ISI, ઈસ્લામિક આતંકવાદી સંગઠન, અબ્દુલ્લા, મુફ્તી અને હુર્રિયત સામેલ છે. વધુમાં દિલ્હીના સીએમ કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું કે આ જૂથના નવા સહયોગીઓ દિલ્હીના મુખ્યમંત્રી અને ખાલિસ્તાની જૂથો છે. આટલું જ નહીં, અરવિંદ કેજરીવાલ સિવાય તેણે પોતાની પોસ્ટમાં પીએમ વિશે પણ લખ્યું છે.

વિવેક અગ્નિહોત્રીનું ટ્વીટ અહીં જુઓ-

પીએમ મોદીએ ઘણા મહાન કામ કર્યા – વિવેક અગ્નિહોત્રી

પીએમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર અને દેશને તોડવાના કાવતરાઓ પર કામ કરી રહ્યા છે.

PMએ દેશભક્તિ, સરકારી અધિકારીઓના ફેરબદલ અને સાંસ્કૃતિક પ્રેરણાને લગતા ઘણા સારા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે જો પીએમનું આ કામ સફળ થશે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સત્ય બહાર આવશે. ઉપરાંત, અબ્દુલ્લા અને મુફ્તિઝ લાખો ડોલરના મૂલ્યની સંપત્તિ ગુમાવશે.

કોણ નથી ઈચ્છતું કે મોદી 2024ની ચૂંટણી જીતે?

આટલું જ નહીં, આ પહેલા વિવેક અગ્નિહોત્રીએ પોતાનું ટ્વિટ ચાલુ રાખતા કહ્યું કે આ જ કારણ છે કે આખી દુનિયા નથી ઈચ્છતી કે નરેન્દ્ર મોદી 2024ની ચૂંટણી જીતે. મુસ્લિમ સમુદાયનું મૌન આતંકવાદ માટે ભાવનાત્મક સમર્થન છે.

બેંક મેનેજર વિજય કુમારની હત્યા

તમને જણાવી દઈએ કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ સતત હુમલાઓમાં ત્યાંના લોકો સિવાય, બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પહેલા સોમવારે રજની ભલ્લા નામની સ્કૂલ ટીચરની દર્દનાક હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેને કુલગામમાં જ ગોળીઓથી મારવામાં આવ્યો હતો.

કોણ હતા વિજય કુમાર?

જે બાદ હવે બેંક મેનેજર વિજય કુમારની હત્યાનો મામલો સામે આવ્યો છે. જે રાજસ્થાનનો રહેવાસી હતો અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદી હુમલામાં માર્યો ગયો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને હવે વિવેક અગ્નિહત્રીએ ટ્વીટ કરીને હિન્દુઓની સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે હવે માત્ર કાશ્મીરી પંડિતોનો જ મામલો નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ હવે આતંકના નિશાના પર છે.

ઓક્સફોર્ડ યુનિયને આ કાર્યક્રમ રદ કર્યો હતો

નોંધનીય છે કે બુધવારે વિવેક અગ્નિહોત્રીએ વધુ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે પોતાનો એક વીડિયો જાહેર કરીને કહ્યું કે ઓક્સફોર્ડ યુનિયને પહેલા તેને યુનિવર્સિટીમાં ઈવેન્ટનું આયોજન કરવા ઈમેલ આમંત્રણ મોકલ્યું અને પછી છેલ્લી ક્ષણે તેની ઈવેન્ટ કેન્સલ કરી દીધી.

Next Article