Throwback: શિવભક્ત હતા Sushant Singh Rajput,ઘરે કરતા હતા મંત્રોચ્ચાર, જુઓ વીડિયો

|

Jul 18, 2021 | 11:09 PM

સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ કેદારનાથમાં શિવ પ્રત્યેનો પોતાનો પ્રેમ દરેકની સામે દર્શાવ્યો હતો, અભિનેતા ઘરે રહીને ઘણી વખત શિવના જાપ કરતા હતા. આજે અમે તમારા માટે એક વીડિયો લાવ્યા છીએ. જેમાં તમે તેમને જોઈ શકો છો.

બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ભલે આજે આપણી સાથે ન હોય પરંતુ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. સુશાંતસિંહ રાજપૂત મહાન શિવભક્ત હતા. જ્યાં તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. જેમાં અભિનેતા શિવ મંત્રનો જાપ કરતા જોવા મળે છે. સુશાંત સિંહ રાજપૂતે પણ ‘કેદારનાથ’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યાં આ ફિલ્મમાં આપણે સારા અલી ખાનને તેમની સાથે મુખ્ય ભૂમિકામાં જોયા હતા.

સુશાંત સિંહ રાજપૂતના બધા મિત્રો જાણતા હતા કે અભિનેતા શિવના ભક્ત હતા. જેના કારણે ઘણા મિત્રો તેમના માટે શિવની મૂર્તિ અથવા પેઇન્ટિંગ લઈને તેમને મળવા જતા હતા. આજે અમે તમારા માટે જે વીડિયો લાવ્યા છીએ તેમાં સુશાંત સિંહ રાજપૂત આપણને ભક્તિની શૈલીમાં જોવા મળે છે. જ્યાં તે પોતાના મિત્રો સાથે મળીને શિવના મંત્રોચ્ચાર કરી રહ્યા છે. એટલું બધું કે અભિનેતાએ પોતાના ઘર સંપૂર્ણ રીતે બેન્ડનો સામાન રાખ્યો હતો. જેની સાથે તેઓ સતત સંગીત સાથે શિવના જાપ કરતા હતા.

સુશાંતના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અભિનેતા કેવી રીતે ભગવાનને હૃદયથી યાદ કરતા હતા. સુશાંત નાનપણથી જ પૂજા પાઠમાં વિશ્વાસ રાખતા હતા. જેના કારણે તે ઘણીવાર મંદિરમાં જતા પણ જોવા મળતા હતા.

જુઓ સુશાંત સિંહ રાજપૂતને લાગતો આ જુની વીડિયો

 

14 જૂન 2020 ના રોજ મળ્યો હતો સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ

સુશાંત સિંહ રાજપૂતની લાશ 14 જૂન 2020 ના રોજ તેમના ઘરે પંખાથી લટકેલી મળી હતી. તે સમયે ઘરમાં એક રસોઈયો અને તેમનો નજીકનો મિત્ર સિધ્ધાર્થ પીઠાની હાજર હતો. બંનેએ મૃતદેહને પહેલી વાર જોયો અને પછી ખબર પડી કે સુશાંતસિંહ રાજપૂત આ દુનિયામાં નથી રહ્યા. આ સમાચાર આખા ભારતમાં આગની જેમ ફેલાયા હતા, ત્યારબાદ સુશાંતના ચાહકો સાથે તેમના પરિવારજનોએ કહ્યું કે સુશાંતે આત્મહત્યા કરી નથી, તેમની હત્યા કરવામાં આવી છે. ઘણા દિવસોની તપાસ બાદ પોલીસની મેડિકલ ટીમે જણાવ્યું હતું કે અભિનેતાએ પોતે પોતાનો જીવ લીધો હતો અને કોઈએ તેમની હત્યા કરી નથી.

Next Video