TMKOC : તારક મહેતાના ફેન્સ માટે ખુશખબર, આવી ગઈ છે Run Jetha Run ગેમ, સિરિયલના ઘણા પાત્રો જોવા મળશે

|

Feb 21, 2023 | 1:10 PM

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના નિર્માતાઓએ Run Jetha Run નામની ગેમ લોન્ચ કરી છે. આ ગેમમાં સીરિયલનું પાત્ર જેઠાલાલને જોઈ શકાય છે.

TMKOC : તારક મહેતાના ફેન્સ માટે ખુશખબર, આવી ગઈ છે Run Jetha Run ગેમ, સિરિયલના ઘણા પાત્રો જોવા મળશે
Run Jetha Run Game

Follow us on

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલ અમારી ફેવરિટ છે. આ શો લાંબા સમયથી ટીવી પર ચાલી રહ્યો છે. બાળકોથી લઈને વડીલોને આ શો ગમે છે. આવી સ્થિતિમાં હવે મેકર્સ શો ઉપર બનેલી એક એવી ગેમ લઈને આવ્યા છે, જે ફેન્સનું વધુ મનોરંજન કરશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બનેલી ગેમનું નામ રન જેઠા રન છે.

આ પણ વાંચો : તારક મહેતા ફેમ આરાધના શર્મા Alibaba શોમાં તુનિષા શર્માની જગ્યા લેશે? શોમાં આવ્યો નવો ટ્વિસ્ટ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આવી ગઈ છે તારક મહેતાની નવી ગેમ

સિરિયલનું પાત્ર જેઠાલાલ રન જેઠા રન ગેમમાં જોઈ શકાય છે. આ રમતમાં જેઠાલાલ તેની પત્ની દયાબેન અને ગોકુલધામ સોસાયટીના અન્ય લોકો સાથે સ્પર્ધા કરશે. આ ઉપરાંત, તમે ગેમમાં શોના વિવિધ પાત્રોને પણ પસંદ કરી શકો છો અને તેમની સાથે રમી શકો છો. શોના નિર્માતાઓએ ટ્વિટર પર તેમની નવી ગેમની જાહેરાત કરી છે. આ સાથે તેણે તેનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ અગાઉ નિર્માતાઓ સિરિયલથી પ્રેરિત કાર્ટૂન શો પણ લાવ્યા છે.

નવા ટપ્પુની એન્ટ્રી

ટીવી શોની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ ટપ્પુનું પાત્ર ભજવનારા એક્ટર રાજ અનડકટે આ શો છોડી દીધો હતો. આ પછી હવે એક્ટર નીતીશ ભાલૂનીને ટપ્પુના રોલમાં કાસ્ટ કરવામાં આવ્યો છે. નીતીશના નામની ઓફિશિયલી જાહેરાત નિર્માતા અસિત મોદીએ કરી છે. રાજ અને નીતિશ ઉપરાંત ભવ્ય ગાંધીએ પણ ટપ્પુના બાળપણનું પાત્ર ભજવ્યું હતું.

લોકો દયાબેનને કરે છે મિસ

જેઠાલાલનું પાત્ર ભજવતા એક્ટર દિલીપ જોશીએ પોતાના શો વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, દયાબેનનું પાત્ર ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણીના ગયા પછી શોનો રમુજી ભાગ ખોવાઈ ગયો છે. તેણે કહ્યું, ‘આ નિર્માતાઓ પર છે કે તેઓ દયાના પાત્રને રિપ્લેસ કરશે કે નહીં. એક અભિનેતા હોવાના કારણે હું દયાના પાત્રને મિસ કરું છું. વર્ષોથી તમે દયા અને જેઠાના સારા અને રમુજી દ્રશ્યો જોયા છે પરંતુ જ્યારથી દિશા ગઈ છે ત્યારથી એ ભાગ, એન્ગલ અને મજા ક્યાંક ખોવાઈ ગઈ છે. દયા અને જેઠા વચ્ચેની કેમિસ્ટ્રી મીસ થઈ ગઈ છે. લોકો પણ એવું જ કહી રહ્યા છે. હું તેના વિશે પોઝિટિવ છું. કાલ કોણે જોઈ છે.’

Next Article