The Kerala Story Controversy: 32 હજાર યુવતીઓના ગુમ થવાની સ્ટોરી, કેટલી વાસ્તવિકતા, કેટલી કાલ્પનિક? – જુઓ Video

The Kerala Story : અદા શર્માની ફિલ્મ ધ કેરાલા સ્ટોરી રિલીઝ પહેલા જ વિવાદ છેડાઈ ગયો છે. ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાંથી 32 હજાર છોકરીઓ ગુમ થઈ છે. આ આંકડા પર સવાલો ઉઠી રહ્યા છે.

The Kerala Story Controversy: 32 હજાર યુવતીઓના ગુમ થવાની સ્ટોરી, કેટલી વાસ્તવિકતા, કેટલી કાલ્પનિક? - જુઓ Video
The Kerala Story Controversy1
| Edited By: | Updated on: Apr 29, 2023 | 2:00 PM

The Kerala Story Controversy : અભિનેત્રી અદા શર્મા અભિનીત અને સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કેરાલા સ્ટોરી આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર 26 એપ્રિલના રોજ બહાર આવ્યું હતું અને ત્યારથી તેના વિશે ચર્ચા ચાલી રહી છે. મેકર્સનો દાવો છે કે ફિલ્મની વાર્તા સત્ય ઘટનાઓ પર આધારિત છે, પરંતુ કોઈ રાજ્યની 32 હજાર છોકરીઓ પોતાનો ધર્મ બદલીને આતંકવાદી સંગઠનોમાં જોડાય તો શું કોઈને ખબર નહીં પડે?

આ પણ વાંચો : The Kerala Story : કાનૂની મુશ્કેલીમાં ફસાયું ‘ધ કેરલા સ્ટોરી’નું ટીઝર, DGPએ FIR માટે આપ્યા નિર્દેશ

ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે છોકરીઓને સંપૂર્ણ પ્લાનિંગ સાથે તૈયાર કરવામાં આવી છે. પહેલા તેમને ઈસ્લામની નજીક લાવવામાં આવે છે. પછી મુસ્લિમ છોકરાઓ લવ જેહાદ દ્વારા તેની સાથે લગ્ન કરે છે અને પછી તેને નર્સ બનવા માટે વિદેશ મોકલવામાં આવે છે, જ્યાં તે ISISના ચુંગાલમાં ફસાઈ જાય છે. ટ્રેલર આવતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. એક વિભાગ આ ટ્રેલરને પ્રમોટ કરી રહ્યો છે ત્યારે ઘણા લોકો ફિલ્મને એજન્ડા ગણાવી રહ્યા છે. ટ્વિટર પર અનેક પ્રકારના મંતવ્યો સામે આવી રહ્યા છે.

32,000 છોકરીઓનો આંકડો કેટલો સાચો છે?

ફિલ્મ બની તો ગઈ છે. તેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. પણ સવાલ એ છે કે આ દાવામાં કેટલો સાચો છે અને કેટલો ખોટો છે? જાન્યુઆરી 2022માં NIA એ ખુલાસો કર્યો કે કેરળમાં ઇસ્લામિક સ્ટેટ સ્લીપર સેલ એક્ટિવ છે. તે સમયે આઠ આતંકવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. NIAએ દાવો કર્યો છે કે, કેરળના મુસ્લિમ યુવકને આતંકના રસ્તે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમાં મહિલાઓ પણ સામેલ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

ધર્મ પરિવર્તનના આંકડા આવ્યા સામે

ઓમન ચાંડીના મુખ્યમંત્રી પદ દરમિયાન ધર્મ પરિવર્તનના આંકડા સામે આવ્યા હતા. તે આંકડાઓ અનુસાર વર્ષ 2006 થી 2012 દરમિયાન 7713 લોકોએ ઈસ્લામ કબૂલ કર્યો હતો. વર્ષ 2009થી 2012 દરમિયાન ધર્મ પરિવર્તન કરાયેલા લોકોમાં 2667 મહિલાઓ હતી. તેમાંથી 2195 યુવા હિંદુ યુવતીઓ અને 492 યુવા ખ્રિસ્તી યુવતીઓ હતી. તે સમયે સીએમ ચાંડીએ વિધાનસભામાં એમ પણ કહ્યું હતું કે, 2006 થી 2012 દરમિયાન 2803 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આ સિવાય 2009 થી 2012 દરમિયાન 79 છોકરીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને બે છોકરીઓએ હિંદુ ધર્મ અપનાવ્યો.

ટ્રેલરમાં છે આ વાત ઉલ્લેખ

ટ્રેલરમાં એક ડાયલોગ છે. જેમાં એક છોકરી કહે છે, “આ ગ્લોબલ એજન્ડા છે. અમારા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે આગામી 20 વર્ષમાં કેરળ ઇસ્લામિક સ્ટેટ બની જશે. ટ્રેલરના અંતે શાલિની ઉન્નીકૃષ્ણન અને ફાતિમા બીની ભૂમિકા ભજવી રહેલી અદા શર્મા કહે છે, “મેં અકેલી નહીં હું ઈસ ખેલ મેં. મેરી જૈસી હજારો લડકિંયા હૈ, જો અપને ઘર સે ભાગકર ઈસ રેગિસ્તાન મેં દફન હો ચૂકી હૈ.

આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્માણ વિપુલ અમૃત લાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અદા શર્મા ઉપરાંત યોગિતા બિહાની, સોનિયા બલાની, સિદ્ધિ ઈદનાની, વિજય કૃષ્ણા, પ્રણય પચૌરી અને પ્રણવ મિશ્રા જેવા કલાકારો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 1:37 pm, Sat, 29 April 23