Samantha Ruth Prabhu: સદગુરુને મળી સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ, જાણો સવાલ સાંભળીને ધાર્મિક ગુરુએ એક્ટ્રેસને શું કહ્યું

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) ધર્મગુરૂ સદગુરુને હૈદરાબાદમાં મળી હતી. આ દરમિયાન તેણે સદગુરુને કેટલાક એવા પ્રશ્નો પૂછ્યા જે સાંભળીને તેઓ હેરાન થઈ ગયા.

Samantha Ruth Prabhu: સદગુરુને મળી સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ, જાણો સવાલ સાંભળીને ધાર્મિક ગુરુએ એક્ટ્રેસને શું કહ્યું
Samantha Ruth Prabhu and Sadhguru
| Edited By: | Updated on: Jun 19, 2022 | 6:34 PM

સાઉથ ફિલ્મોની જાણીતી એક્ટ્રસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લઈને તો ક્યારેક સોશિયલ લાઈફને લઈને એક્ટ્રેસ અવારનવાર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ધર્મગુરુ સદગુરુને (Dharmguru sadhguru) મળવાને કારણે ચર્ચામાં આવી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સની જેમ, સામંથા પણ ધર્મગુરુ સદગુરુને ફોલો કરે છે. એક્ટ્રેસ હૈદરાબાદમાં ધર્મગુરુને મળી હતી. આ દરમિયાન તેણીએ સદગુરુને આવા કેટલાક પ્રશ્નો પૂછ્યા, જેના પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો આવો જાણીએ એક્ટ્રેસે એવા કયા સવાલ પૂછ્યા જેના વિશે તે ચર્ચામાં આવી ગઈ?

એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ હૈદરાબાદમાં તેના ધર્મગુરુ સદગુરુને મળી હતી. આ દરમિયાન તેણે તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો સદગુરુને પૂછ્યા. એક્ટ્રેસે વાતચીતમાં આવા ઘણા પ્રશ્નો પૂછ્યા જેને સાંભળીને સદગુરુએ તેના પ્રશ્નોને બાળક કહી દીધું. આ સાથે જ તે એક્ટ્રેસના સવાલોથી પણ ખૂબ જ હેરાન થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતીમાં જણાવા મળ્યું છે કે સામંથા રૂથ પ્રભુએ સદગુરુ સાથેની મુલાકાત દરમિયાન એક વાતચીતમાં પૂછ્યું, ‘શું તેમના જીવનમાં જે અન્યાય થઈ રહ્યો છે તે તેમના ભૂતકાળના કર્મોનું પરિણામ છે. શું તેમને આ જન્મમાં તેમના દ્વારા કરવામાં આવેલા કર્મોનું ફળ મળી રહ્યું છે?’ આ સાથે સામંથાએ આવા ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના કારણે એવું લાગતું હતું કે તે તેના જીવનમાં ઘણા પ્રશ્નો અને જવાબો વચ્ચે ફસાઈ ગઈ છે.

સામંથાએ સદગુરૂ સાથે કરી કર્મોની વાત

આ પછી એક્ટ્રેસે આવો જ બીજો પ્રશ્ન પૂછ્યો જે તેના ભૂતકાળના કર્મો વિશે હતો. એક્ટ્રેસે પૂછ્યું કે મારા મગજમાં બીજો પ્રશ્ન ચાલી રહ્યો છે કે, વ્યક્તિના ભૂતકાળના કર્મોનું કેટલું પરિણામ છે? શું કોઈના જીવનમાં અન્યાય થઈ શકે છે અને તેના ભૂતકાળના કર્મોનું પરિણામ છે? જો એમ હોય તો, શું તમે આ અન્યાય સ્વીકારો છો? તે આપણા માટે નુકસાનદાયક હોઈ શકે છે પરંતુ આપણે તેને સ્વીકારવું જોઈએ.

સામંથાના પ્રશ્નોના સદગુરુએ શું આપ્યા જવાબ?

સામંથાના પ્રશ્નોના જવાબમાં સદગુરુએ કહ્યું કે શું તમે હજુ પણ આશા રાખો છો કે દુનિયા તમારા માટે ન્યાયી રહેશે? જેના પર એક્ટ્રેસે હસીને જવાબ આપ્યો, “એટલે જ હું આ સવાલ પૂછું છું! શું હું મારી સાથે થઈ રહેલી બાબતોને ભૂતકાળના કર્મનો દોષ સમજું. આના પર સદગુરુએ કહ્યું, “તે એક શાળાની છોકરીનો પ્રશ્ન છે,” તમે આશા રાખી શકતા નથી કે દુનિયા તમારી સાથે ન્યાયી છે. અત્યાર સુધીમાં તમારે જાણવું જોઈએ કે વિશ્વ ન્યાયી નથી.

નાગા ચૈતન્યથી છૂટાછેડાને લઈને ચર્ચામાં હતી એક્ટ્રેસ

સામંથા અને તેના ભૂતપૂર્વ પતિ અને એક્ટર નાગા ચૈતન્યએ વર્ષ 2017 માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 4 વર્ષ બાદ સાઉથનું આ ફેમસ કપલ એકબીજાથી અલગ થઈ ગયું. લગ્ન પહેલા બંને લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનમાં પણ હતા. જે બાદ તેઓએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ લગ્નજીવનમાં અણબનાવને કારણે બંને પરસ્પર સંમતિથી છૂટા પડી ગયા હતા.