સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણી લગ્નની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. બધા વચ્ચે સૌ કોઈ આ નવદંપતિને જોવા માટે આતુર છે. આ બધા વચ્ચે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની પહેલી ઝલક સામે આવી છે. (કિયારા અડવાણી) એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસ્વીરો શેયર કરી છે. આ ફોટોમાં આ નવદંપતિ ખૂબ સુંદર રીતે તૈયાર થયેલું જોવા મળી રહ્યું છે.
સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે દિલ્હીથી બેન્ડના સભ્યો આવ્યા હતા. અને વરરાજા કિયારાને પોતાની દુલ્હન બનાવવા પંજાબી સ્ટાઈલમાં પહોંચ્યા હતા. બેન્ડના સભ્યો સાથે ઘોડી પર સવાર થઈને સિદ્ધાર્થ શાનદાર રીતે જાન સાથે પહોંચ્યો અને પછી બંનેએ સાત ફેરા લીધા અને એકબીજાના બની ગયા.
લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાંથી એવું લાગી રહ્યું હતું કે બંને લક્ઝુરિયસ રીતે લગ્ન કરી રહ્યા છે. થોડા સમય પહેલા મંડપની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને ગુલાબી રંગથી સુંદર રીતે શણગારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ-કિયારાના લગ્નની થીમ પિંક હતી.
સિદ્ધાર્થ અને કિયારાના ડેસ્ટિનેશન વેડિંગમાં બોલિવૂડના ફેમસ સ્ટાર્સ પહોંચ્યા છે. રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો આવ્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ બોલિવૂડમાંથી કરણ જોહર, મલાઈકા અરોરા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા આ લગ્નમાં સામેલ થયા હતા. આ સાથે મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. ફેન્સ બંનેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.
સિદ્ધાર્થ-કિયારાના શાહી લગ્નમાં બિઝનેસમેનથી લઈને બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. સૂર્યગઢ પેલેસમાં એક રૂમ માટે એક રાતનો ખર્ચ 1.5 લાખ રૂપિયા છે. સિદ્ધાર્થ-કિયારાએ તેમના મહેમાનો માટે મહેલના 84 રૂમ બુક કરાવ્યા છે. મહેલમાં રહેવાની સાથે મહેમાનોના આરામ માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા છે. અહીંના લક્ઝુરિયસ રૂમમાં મહેમાનોને સ્પાની સુવિધા પણ આપવામાં આવે છે એટલે કે મહેમાનો લગ્નની મજા અને ઉમંગ વચ્ચે આરામ કરી શકશે.
મહેમાનોને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ડેઝર્ટ સફારી પર જવાનો મોકો પણ મળશે. સાથે જ લગ્નમાં ભોજન પણ શાહી હશે. મેનૂમાં મહેમાનોને દાલ બાટી-ચુરમા જેવી પરંપરાગત રાજસ્થાની વાનગીઓ પીરસવામાં આવશે. આ ઉપરાંત પંજાબી, થાઈ, ચાઈનીઝ અને કોરિયન વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈમાં 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું રિસેપ્શન હશે.
આ પણ વાંચો : Sidharth Kiara Wedding: લગ્નના બંધનમાં બંધાયા સિદ્ધાર્થ-કિયારા, સૂર્યગઢ પેલેસમાં થયા શાનદાર લગ્ન
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તો કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.
Published On - 10:22 pm, Tue, 7 February 23