London પહોંચેલા શેખર કપૂરને ઈમિગ્રેશન ઓફિસરે કહી આ વાત, સાંભળીને થશે ગર્વ

|

Sep 10, 2023 | 8:31 PM

આ વખતે જ્યારે શેખર કપૂર (Shekhar Kapur) લંડન ગયા ત્યારે તેમને અભિનંદન મળ્યા. આપણા દેશ ભારતનું નામ દુનિયામાં કેટલી સારી રીતે સંભળાય છે તે જોઈને તેમને ગર્વની લાગણી થઈ અને કેવી રીતે સમગ્ર વિશ્વ ભારતને સલામ કરી રહ્યું છે. બ્રિટનની મુલાકાતે આવેલા ફિલ્મ નિર્માતા શેખર કપૂરે લંડનમાં ઈમિગ્રેશન ઓફિસર સાથેની તેમની વાતચીતનો એક નાનો કિસ્સો શેર કર્યો અને તેને ભારતના ચંદ્રયાન-3ની સફળતા માટે ફિલ્મ નિર્માતાને કેવી રીતે અભિનંદન આપ્યા તે જણાવ્યું.

London પહોંચેલા શેખર કપૂરને ઈમિગ્રેશન ઓફિસરે કહી આ વાત, સાંભળીને થશે ગર્વ
Shekhar Kapur
Image Credit source: Social Media

Follow us on

શેખર કપૂર (Shekhar Kapur) એક ફિલ્મ નિર્માતા છે. તેને પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો આપી છે. તેની ફિલ્મોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હાલમાં જ જ્યારે શેખર કપૂર લંડન પહોંચ્યા ત્યારે ત્યાં તેમની સાથે જે થયું તે સાંભળીને ગર્વ થશે. આ વખતે જ્યારે શેખર કપૂર લંડન ગયા ત્યારે તેમને અભિનંદન મળ્યા. આપણા દેશ ભારતનું નામ દુનિયામાં કેટલી સારી રીતે સંભળાય છે તે જોઈને તેમને ગર્વની લાગણી થઈ અને કેવી રીતે સમગ્ર વિશ્વ ભારતને સલામ કરી રહ્યું છે.

ઈમિગ્રેશન ઓફિસરે કહી એક હ્રદય સ્પર્શી વાત

બ્રિટનની મુલાકાતે આવેલા ફિલ્મ નિર્માતા શેખર કપૂરે લંડનમાં ઈમિગ્રેશન ઓફિસર સાથેની તેમની વાતચીતનો એક નાનો કિસ્સો શેર કર્યો અને તેને ભારતના ચંદ્રયાન-3ની સફળતા માટે ફિલ્મ નિર્માતાને કેવી રીતે અભિનંદન આપ્યા તે જણાવ્યું. ટ્વિટર પર મિસ્ટર ઈન્ડિયાના નિર્દેશકે તેમના ભારતીય પાસપોર્ટનો ફોટો શેર કર્યો. આ સાથે તેને લખ્યું, ‘આજે લંડનમાં ઈમિગ્રેશન ઓફિસરનો પ્રશ્ન એ ન હતો કે તમે કેટલા સમય સુધી રોકાઈ રહ્યા છો, સર… પરંતુ તેને કહ્યું કે સર, તમારા મૂન લેન્ડિંગ માટે અભિનંદન.’ સાહેબની વાત સાંભળીને મને ગર્વ થયો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2025
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો

(Tweet : Shekhar Kapur Twitter)

આ પણ વાંચો:  Toronto International Film Festivalમાં સિંગર લિલ નૈસ એક્સને મળી બોમ્બથી મારી નાખવાની ધમકી, તપાસ બાદ સામે આવ્યું સત્ય

તમને જણાવી દઈએ કે ભારતે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર પગ મુકીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું. ઈસરોએ 14 જુલાઈ 2023ના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. લોન્ચિંગ પછી તે પૃથ્વી અને ચંદ્રની આસપાસ ફર્યું અને 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું. આ રીતે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આપણો દેશ વિશ્વનો ચોથો દેશ છે જે સોફ્ટ લેન્ડિંગમાં એક્સપર્ટ માનવામાં આવે છે.