Veer Savarkar Biopic: રણદીપ હુડ્ડાએ 4 મહિના સુધી માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને 26 કિલો વજન ઘટાડ્યું, Transformation જોઈને તમે હેરાન થઈ જશો

|

May 29, 2023 | 9:53 AM

Swatantra Veer Savarkar: વીર સાવરકરની બાયોપિકમાં રણદીપ હુડ્ડાનું અદભૂત Transformation જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ 26 કિલો વજન ઘટાડ્યું છે. તેણે 4 મહિના સુધી દરરોજ માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને વજન ઘટાડ્યું.

Veer Savarkar Biopic: રણદીપ હુડ્ડાએ 4 મહિના સુધી માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને 26 કિલો વજન ઘટાડ્યું, Transformation જોઈને તમે હેરાન થઈ જશો

Follow us on

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર‘ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘણી મહેનત કરી છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મનું ટીઝર જોઈને તમે આનો અંદાજ લગાવી શકો છો. વીર સાવરકરની બાયોપિકમાં રણદીપ હુડાને ઓળખવો પણ મુશ્કેલ છે. આ ફિલ્મ માટે તેણે માત્ર 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું છે.

4 મહિના સુધી દિવસમાં માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીધું

તમને જણાવી દઈએ કે આ બાયોપિક માટે રણદીપ હુડ્ડાએ 26 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિતનું કહેવું છે કે રણદીપે તેના રોલ માટે ઘણી મહેનત કરી છે, તેણે 4 મહિના સુધી દિવસમાં માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને વજન ઘટાડ્યું છે. જ્યારે રણદીપ હુડ્ડાએ આ ફિલ્મ સાઈન કરી ત્યારે તેનું વજન 86 કિલો હતું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘણું રિસર્ચ કર્યું હતું. તેઓ પોતે વીર સાવરકરના પૌત્રને મળ્યા અને તેમના વિશે માહિતી મેળવી. ટીઝરમાં રણદીપનો અવાજ અને એક્ટિંગ ખૂબ જ જોરદાર લાગે છે.

આ પણ વાંચો : Kareena Kapoor: જ્યારે કરીના કપૂરની એક ભૂલે પ્રિયંકા ચોપરાને બનાવી દીધી સુપરસ્ટાર, બંનેએ ફરી ક્યારેય સાથે ફિલ્મ ના કરી

તમને જણાવી દઈએ કે રણદીપ હુડ્ડા આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. અગાઉ ફિલ્મના નિર્દેશનની જવાબદારી મહેશ માંજરેકરને આપવામાં આવી રહી હતી, પરંતુ તેમની તારીખ ન મળતાં ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે રણદીપ હુડ્ડાને નિર્દેશન કરવા માટે કહ્યું.

 

 

ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે

તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 28 મેના રોજ વીર સાવરકરની 140મી જન્મજયંતિના અવસર પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ‘સ્વતંત્ર વીર સાવરકર’ લગભગ 2,000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article