આર માધવન (R Madhavan) ટૂંક સમયમાં એક નવી ફિલ્મમાં જોવા મળવાનો છે. આજે તેની ફિલ્મ “ધોખા: રાઉન્ડ ધ કોર્નર” નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં આર માધવન સાથે અપારશક્તિ ખુરાના અને દર્શન કુમાર જેવા ટેલેન્ટેડ એક્ટર્સ જોવા મળશે. તેમની નવી ફિલ્મ “ધોખા: રાઉન્ડ ધ કોર્નર”ની પ્રેસ કોન્ફરન્સમાં આર માધવનને બોલિવૂડ બોયકોટ કરવાના ટ્રેન્ડને લઈને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. માધવને તેમને પૂછવામાં આવેલા સવાલો પર પણ ખુલીને વાત કરી હતી. હાલમાં જ રોકેટ્રી (Rocketry The Nambi Effect) જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આર માધવને કહ્યું કે મને લાગે છે કે જો સારી ફિલ્મ આવશે અને લોકોને ગમશે તો લોકો ચોક્કસપણે થિયેટરમાં આવશે.
હાલમાં જ રોકેટ્રી જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આર માધવને કહ્યું કે મને લાગે છે કે જો સારી ફિલ્મ આવશે અને લોકોને ગમશે તો લોકો ચોક્કસપણે થિયેટરમાં આવશે. જ્યાં સુધી સાઉથ ઈન્ડિયન ફિલ્મોની વાત છે, હું તમને સ્પષ્ટપણે જણાવું કે બાહુબલી, બાહુબલી 2, કેજીએફ વન અને કેજીએફ 2, પુષ્પા, આરઆરઆર એવી ફિલ્મો છે જેણે હિન્દી ફિલ્મોના એક્ટર કરતાં વધુ કમાણી કરી છે. તે માત્ર 6 ફિલ્મો છે. આને પેટર્ન ન કહી શકાય.
આ દરમિયાન આર માધવને ફિલ્મોની રિમેક વિશે પણ વાત કરી હતી. આર માધવને કહ્યું કે હું મારી ફિલ્મોની રિમેક બનાવતો નથી. મને તમિલમાં 3 ઈડિયટ્સની રિમેક કરવાનું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તે મારા માટે મુશ્કેલ બની જાય છે.એક્ટર તરીકે જ્યારે હું પહેલા સીનની વાત કરું તો તે પોતાના માટે જ મુશ્કેલ છે. તમારા કેરેક્ટર માટે અને તેને ફરી એકવાર રિક્રિએટ કરવું મુશ્કેલ બની જાય છે. તેથી મને નથી લાગતું કે હું કોઈની ફિલ્મ કે મારી પોતાની કોઈ ફિલ્મની રિમેક કરવા ઈચ્છું. કારણ કે સરખામણીઓ થવા લાગે છે અને મજા બગડી જાય છે.
કોરોના પછી ઓડિયન્સને થિયેટર સુધી લાવવું એક ચેલેન્જ બની ગયું છે. રોકેટ્રી સ્ટારે આ વિશે વાત કરતાં કહ્યું કે આજે દરેક વ્યક્તિ આ વિશે કન્ફ્યુઝ છે. કારણ કે હવે કન્ટેન્ટ લોકોને ઘરે બેસીને મળવા લાગ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને ઘરેથી થિયેટર સુધી લાવવું એ એક મોટું ચેલેન્જ બની ગયું છે. અમને પણ આશા છે કે લોકોને આ ફિલ્મ ગમશે.