મહેશ ભટ્ટની હત્યાના કાવતરામાં વોન્ટેડ આરોપી ઓબેદ રેડિયોવાલાને બોમ્બે હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

મહેશ ભટ્ટની હત્યાના કાવતરામાં વોન્ટેડ આરોપી ગેંગસ્ટર રવિ પૂજારીના કથિત સહયોગી ઓબેદ રેડિયોવાલાને યુએસથી ભારત મોકલી દેવામાં આવ્યો હતો. રેડિયોવાલાની યુએસમાં જ ધરપકડ કરવામાં આવી હતી અને તે દેશમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ સપ્ટેમ્બર 2017થી યુનાઈટેડ સ્ટેટ્સ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં હતો.

મહેશ ભટ્ટની હત્યાના કાવતરામાં વોન્ટેડ આરોપી ઓબેદ રેડિયોવાલાને બોમ્બે હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
Mahesh Bhatt
Image Credit source: File Image
| Edited By: | Updated on: Aug 11, 2022 | 4:25 PM

મહેશ ભટ્ટની (Mahesh Bhatt) હત્યાના કાવતરામાં અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર ઓબેદ રેડિયોવાલાને (Gangster Obed Radiowala) બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. વાસ્તવમાં, બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરીમા મોરાની પર 2014ના ગોળીબાર અને મહેશ ભટ્ટની હત્યાના કાવતરામાં વોન્ટેડ આરોપી ગેંગસ્ટર રવિ પૂજારીના કથિત સહયોગી ઓબેદ રેડિયોવાલાને યુએસથી ભારત મોકલી દેવામાં આવ્યો હતો. રેડિયોવાલાની યુએસમાં જ ધરપકડ કરવામાં આવી હતી અને તે દેશમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ સપ્ટેમ્બર 2017થી યુનાઈટેડ સ્ટેટ્સ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં હતો.

રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી

મુંબઈ પોલીસે રેડિયોવાલા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી, જેમાં મુંબઈમાં તેમની વિરુદ્ધ નોંધાયેલા બે કેસમાં કાયદાનો સામનો કરવા માટે તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.

‘હેપ્પી ન્યૂ યર’ના વિદેશી અધિકારોને લઈ હતો વિવાદ

મુંબઈ પોલીસે આરોપપત્રમાં આરોપ મૂક્યો હતો કે રવિ પૂજારી ગેંગના સભ્યો કે જેઓ પોતે સેનેગલથી ભારત પ્રત્યાર્પણનો સામનો કરી રહ્યા હતા. બોલિવૂડ ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ના વિદેશી અધિકારોને લઈને વિવાદને લઈને તેણે નિર્માતા મોરાની પર ગોળીબાર કર્યો હતો. રેડિયોવાલા પૂજારી વતી નિર્માતાઓને ધમકી આપી રહ્યા હતા.

બાદમાં પૂજારી ગેંગના સભ્યોએ 2014માં મોરાનીના જુહુના બંગલામાં ગોળીબાર કર્યો હતો. જો કે, તે વર્ષ પછી જ્યારે એ જ આરોપીઓ મહેશ ભટ્ટ પર હુમલાની તૈયારીમાં હતા, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મોરાની પર ફાયરિંગમાં પણ આ જ આરોપીઓ સામેલ હતા.

10 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટની હત્યાનું કાવતરું ઘડવા માટે વિશેષ અદાલતે 10 લોકોને દોષિત ઠેરવ્યા હતા.