6 હજાર રૂપિયા બચાવવા માટે સારાએ કર્યું આ કામ, જ્હાન્વીએ કર્યો ખુલાસો

'કોફી વિથ કરણ'ની 7મી સીઝનમાં સામેલ થયેલા સારા અલી ખાન (Sara Ali Khan) અને જ્હાન્વી કપૂરે (Jhanvi Kapoor) તેમની કેદારનાથની યાત્રા વિશે ઘણી વાતો જણાવી છે. જ્હાન્વીએ સારા વિશે પણ હેરાન કરી દે તેવા ખુલાસા કર્યા છે.

6 હજાર રૂપિયા બચાવવા માટે સારાએ કર્યું આ કામ, જ્હાન્વીએ કર્યો ખુલાસો
sara-jhanvi
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 14, 2022 | 5:02 PM

સારા અલી ખાન (Sara Ali Khan) અને જ્હાન્વી કપૂરની (Jhanvi Kapoor) દોસ્તી કોઈનાથી છુપાયેલી નથી. બંને ઘણી જગ્યાઓ પર સાથે જોવા મળે છે. બંને કેદારનાથ પણ ગયા હતા, ત્યાં તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે બધાનો ઉલ્લેખ સારાએ કરણ જોહરના ફેમસ શો ‘કોફી વિથ કરણ’માં (Koffee With Karan-7) કર્યો છે. કોફી વિથ કરણની 7મી સીઝન ચાલી રહી છે. સારા અને જ્હાન્વી તેના બીજા એપિસોડમાં જોવા મળશે, જેનું પ્રીમિયર આજે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પલ્સ હોટસ્ટાર પર થશે. આ દરમિયાન એક્ટ્રેસે તેમના જીવનની ઘણી બાબતો વિશે વાત કરી અને સાથે તેમની ટ્રિપના અનુભવો પણ શેર કર્યા હતા.

જ્હાન્વીએ અહીં કહ્યું હતું કે કેવી રીતે તેમને કેદારનાથની હોટલને લઈને ખરાબ અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. વધારે ઠંડીને કારણે તેમને ઘણી મુશ્કેલીઓ પડી હતી. ‘ગુડ લક જેરી’ની એક્ટ્રેસે કહ્યું કે કેવી રીતે સારાએ 6000 રૂપિયા બચાવવા માટે હીટર વગરની સસ્તી હોટેલ પસંદ કરી. તે સમયે તાપમાન -7 ડિગ્રી હતું.

ઠંડીથી ધ્રૂજી રહી હતી સારા: જ્હાન્વી કપૂર

તેણે કહ્યું કે હું બે થર્મલ, એક પફર જેકેટ, ત્રણ શાલ, બે ટ્રેક પેન્ટ અને બે સ્વેટર લઈને કેદારનાથ ગઈ હતી. મેં ત્યાં મારા બધા જ કપડા પહેર્યા હતા અને તેમ છતાં હું ધ્રૂજતી હતી. જ્હાન્વીએ વધુમાં આગળ કહ્યું કે, જ્યારે સારા તેના દોસ્તોને મળીને હોટેલમાં પહોંચી ત્યારે તે ધ્રૂજતી હતી અને તેના હોઠ સુકાય ગયા હતા. એક્ટ્રેસે એમ પણ કહ્યું કે ઠંડીના વાતાવરણમાં હીટર સિવાય હોટલનું બાથરૂમ પણ સારું નહોતું. જો હું એ પોટ પર બેસી જતી તો તે તૂટી ગયો હોત.

આ પણ વાંચો

ચર્ચામાં રહે છે કોફી વિથ કરણ

આજે જ જ્હાન્વી કપૂરની અપકમિંગ ફિલ્મ ગુડ લક જેરીનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 29 જુલાઈએ ડિઝની+ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ ફિલ્મ કોલામાવુ કોકિલા (2018)ની રીમેક છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્મિત અને સિદ્ધાર્થ સેન દ્વારા નિર્દેશિત છે. કરણ જોહરનો શો ‘કોફી વિથ કરણ’ ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં સેલેબ્સ આવે છે અને તેઓ ઘણા ખુલાસા કરે છે. ફેન્સ આ શોની ખૂબ રાહ જોઈ રહ્યા હોય છે.