સિદ્ધુ મૂસેવાલાના મોત બાદ પરિવારે જાહેર કર્યું નિવેદન, પરવાનગી વગર ગાયકનું ગીત રિલીઝ થશે તો થશે કાયદેસરની કાર્યવાહી

|

Jun 02, 2022 | 5:45 PM

સિદ્ધુ મૂસેવાલાનો (Sidhu Moosewala) પરિવાર ખરાબ રીતે તૂટી ગયો છે. હવે આ દરમિયાન સિદ્ધુના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પરથી એક પોસ્ટ સામે આવી છે.

સિદ્ધુ મૂસેવાલાના મોત બાદ પરિવારે જાહેર કર્યું નિવેદન, પરવાનગી વગર ગાયકનું ગીત રિલીઝ થશે તો થશે કાયદેસરની કાર્યવાહી
Siddhu Musewala

Follow us on

પંજાબના 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) મૃત્યુના સમાચારથી બધા ચોંકી ગયા છે. નોંધનીય છે કે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને (Sidhu Moosewala Passed Away) 29 મેના રોજ ગોળી મારી દેવામાં આવી હતી. આ સમાચાર બાદ તેમના ચાહકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. બીજી તરફ સિદ્ધુ મુસેવાલાનો પરિવાર ખરાબ રીતે તૂટી ગયો છે. હવે આ દરમિયાન સિદ્ધુના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પરથી એક પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટમાં, સ્પષ્ટપણે સિદ્ધુ સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના પરિવારના સભ્યોની પરવાનગી વિના જેમની સાથે ગાયકે કામ કર્યું હતું તે કામ રિલીઝ ન કરો.

સિદ્ધુ મુસેવાલા નાની ઉંમરમાં જ સ્ટાર બની ગયા હતા

તમને જણાવી દઈએ કે, નાની ઉંમરમાં જ પ્રસિદ્ધિ મેળવનાર સિદ્ધુ મૂસેવાલા એક પછી એક હિટ ગીતો આપી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમની પાસે ઘણા પ્રોજેક્ટ પેન્ડિંગ હતા અને કેટલાક કામ ચાલી રહ્યા હતા. આ સિવાય તેઓ રાજકારણમાં પણ એક્ટિવ હતા.

પુત્ર ગુમાવ્યા બાદ પરિવારે શું કહ્યું?

આવી સ્થિતિમાં, મૂસેવાલેના ઇન્સ્ટા પરથી સામે આવેલી પોસ્ટમાં, પંજાબી અને અંગ્રેજીમાં વિનંતી કરવામાં આવી છે – અમે તમામ સંગીત નિર્માતાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ સિદ્ધુ સાથે કરેલા ભૂતકાળના પ્રોજેક્ટ્સને રિલીઝ ન કરે. તેમને રિલીઝ કરશો નહીં અથવા લીક કરશો નહીં. જો આવું થશે તો તેમની સામે વ્યક્તિગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અહીં જુઓ સિદ્ધુ મુસેવાલાની ઇન્સ્ટા પોસ્ટ

તમને જણાવી દઈએ કે, પંજાબી ગાયકની 29મી મેના રવિવારે સાંજે માનસા જિલ્લામાં કેટલાક અજાણ્યા બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બદમાશોએ રોડ પર મૂસેવાલા પર 30 ગોળી ચલાવી હતી. પંજાબ સરકારે સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ તેમની હત્યાની ઘટના સામે આવી છે. ગોળીઓનો અવાજ સાંભળીને લોકો ત્યાં એકઠા થઈ ગયા.

આવી સ્થિતિમાં, મૂસેવાલાને માનસા જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ઘટના સમયે મુસેવાલા તેના થારમાં હતા અને પોતાના ગામની બહાર આવ્યા હતા. તે સમયે તેમની સાથે કારમાં વધુ બે લોકો હાજર હતા જેઓ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પણ ગોળી વાગી છે.

Next Article