
Dhurandhar Ban Demand in Tamilnadu : રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ભારતમાં તેમજ વિદેશમાં પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. ‘ધુરંધર 2’ રિલીઝ થયાને માત્ર પાંચ દિવસ થયા છે અને તે વિશ્વભરમાં રૂપિયા 800 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મની જેટલી પ્રશંસા થઈ રહી છે તેટલી જ ટીકા પણ થઈ રહી છે. કેટલાક લોકો તેને પ્રોપોગેન્ડા ફિલ્મ કહી રહ્યા છે. આ દરમિયાન ‘ધુરંધર: ધ રિવેન્જ’ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ હોય તેવું લાગે છે. બોક્સ ઓફિસ પર ભારે કમાણી વચ્ચે રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ થઈ રહી છે. તમિલનાડુની ચૂંટણી પહેલા ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગણીઓ થઈ રહી છે.
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંદર: ધ રીવેન્જ ‘ ને લઈને ચાલી રહેલો વિવાદ હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત તાજેતરમાં, તમિલનાડુમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી. જેના કારણે મામલો મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. તમિલનાડુમાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે ફિલ્મની રિલીઝ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
‘ધુરંધર 2’ રિલીઝ થયાને માત્ર પાંચ દિવસ થયા છે. અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ પણ થવા લાગી છે. Daily Thanthi ના એક અહેવાલ મુજબ, મદ્રાસ હાઇકોર્ટમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ પર તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે. શીલા નામના વકીલે બેંચને રાજ્ય વિધાનસભા ચૂંટણી અંગે અપીલ કરી હતી. વકીલે દલીલ કરી હતી કે ફિલ્મમાં ઊંડો રાજકીય પ્રભાવ છે અને તે મતદારોની લાગણીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ફિલ્મની રાજકીય રીતે સંવેદનશીલ વાર્તા ચૂંટણીઓને અસર કરી શકે છે.
આ અપીલ મુજબ, ફિલ્મનો એકતરફી રાજકીય દ્રષ્ટિકોણ મતદારોને પ્રભાવિત કરી શકે છે. તેથી, તમિલનાડુમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશે આ અપીલ પર ઔપચારિક અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત આ અરજી બાદ જ તે જ કેસની સુનાવણી કરશે.
‘ઇસ્લામ કોઈની સંપત્તિ નથી’, પેલેસ્ટાઇનની અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે કેમ મહત્વપૂર્ણ, જાણો આ વિષય પર ઓવૈસી શું બોલ્યા..વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:40 pm, Tue, 24 March 26