ચંકી પાંડેએ અનન્યા-આદિત્યના સંબંધો પર મૌન તોડ્યું, કહ્યું કે-તે મારા કરતાં વધુ…

|

Apr 23, 2024 | 11:33 AM

ચંકી પાંડેએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરની રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી હતી. આટલું જ નહીં તેઓએ અનન્યાના વખાણ કર્યા છે કે તેણે કોઈની મદદ વગર બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

ચંકી પાંડેએ અનન્યા-આદિત્યના સંબંધો પર મૌન તોડ્યું, કહ્યું કે-તે મારા કરતાં વધુ...
chunky panday

Follow us on

અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે આ બંનેએ ખુલ્લેઆમ મીડિયા સામે પોતાના સંબંધોની જાહેરાત કરી નથી, પરંતુ અનન્યા-આદિત્ય ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ બંને જ્યારે વિદેશ ફરવા ગયા ત્યારે પણ તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે અનન્યાના પિતા અને અભિનેતા ચંકી પાંડેએ દીકરીના સંબંધ વિશે પ્રતિક્રિયા આપી છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

તેણે સ્પષ્ટતા કરી હતી કે, સંબંધોના સંદર્ભમાં અનન્યાની પસંદગી સામે કોઈ વિરોધ નથી. એ જ રીતે તેણે કહ્યું છે કે, તેની 25 વર્ષની પુત્રીના અંગત જીવનને નિયંત્રિત કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. આટલું જ નહીં તેઓએ અનન્યાના વખાણ કર્યા છે કે તેણે કોઈની મદદ વગર બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

ચંકી પાંડેએ કરી વાત

વેબસાઈટ ‘લેહરેન’ને આપેલા ઈન્ટરવ્યુમાં ચંકીને અનન્યા પાંડે સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું, “મને લાગે છે કે તે 25 વર્ષની છે, તે મારા કરતા વધુ પૈસા કમાય છે. તેથી તેને તેના મન મુજબ કાર્ય કરવાનો અધિકાર છે. મારી 25 વર્ષની દીકરીને શું કરવું અને શું ન કરવું તે કહેવાની મારી હિંમત કેવી રીતે થાય? પડદા પરના તેના અંતરંગ દ્રશ્યોથી પણ મને કોઈ સમસ્યા નથી. મેં હોલિવુડમાં પણ આવા દ્રશ્યો જોયા છે. કોઈને કોઈ નુકસાન નથી. તમારે આ બાબતો સ્વીકારવી પડશે.”

તેણે પોતાના દમ પર કામ હાંસલ કર્યું : ચંકી પાંડે

અનન્યા ક્યારેય તમારી પાસે કોઈ સલાહ માટે આવી છે કે કેમ તે પૂછતાં તેણે ઉમેર્યું, “મારી બંને દીકરીઓ ભાવના (માતા)ની ખૂબ જ નજીક છે. જ્યારે પણ તેમને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે મને તેમનો ફોન આવે છે. પરંતુ તે સિવાય બંને તેમની માતાની ખૂબ નજીક છે. જો તેમને ક્યારેય કોઈ સલાહની જરૂર હોય તો હું પણ તેમની સાથે હોઉં છું. પરંતુ જ્યારે ફિલ્મોની વાત આવે છે ત્યારે અમારી વચ્ચે હંમેશા દલીલો થતી હોય છે. કારણ કે તેના વિશે મારા વિચારો જૂના છે.”

“જ્યારે અનન્યાને તેની પ્રથમ ફિલ્મની ઓફર મળી અને તેણે તેને સ્વીકારવાનું નક્કી કર્યું, તે મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. મને લાગે છે કે તેઓએ વિચાર્યું કે તે પહેલા ખૂબ નાની હતી, પરંતુ જ્યારે તેણે ઓડિશન આપ્યું ત્યારે તેને રોલ મળ્યો. તેથી મને ખૂબ ગર્વ છે કે તેણે પોતાના દમ પર કામ હાંસલ કર્યું છે”, ચંકી પાંડેએ તેની પુત્રી વિશે જણાવ્યું હતું.

 

Next Article