Jiah Khan Suicide Case મામલે 28 એપ્રિલે આવશે CBIનો નિર્ણય, Suraj Pancholi પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

jiah Khan Suicide Case : સીબીઆઈએ તેના તરફથી કહ્યું છે કે, જિયા ખાને સૂરજ પંચોલી સાથેના તેના સંબંધો અને ટોર્ચર વિશે નોટમાં વાત કરી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે આ કારણે તેણે આત્મહત્યા કરી છે.

Jiah Khan Suicide Case મામલે 28 એપ્રિલે આવશે CBIનો નિર્ણય, Suraj Pancholi પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
| Edited By: | Updated on: Apr 27, 2023 | 2:33 PM

મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટ ફિલ્મ અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના કેસમાં 28 એપ્રિલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. આ કેસમાં ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલી, જે જિયા ખાનનો બોયફ્રેન્ડ હતો, તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે અને કેસ ચાલી રહ્યો છે. સ્પેશિયલ સીબીઆઈ જજ એએસ સૈયદે અંતિમ દલીલો સાંભળી હતી. આ સાંભળ્યા બાદ તેણે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે. જિયા ખાન 25 વર્ષની હતી. તે અમેરિકન નાગરિક હતી. તે 3 જૂન 2013ના રોજ તેના જુહુના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. આ પછી પોલીસને 6 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી.

આ સમગ્ર ઘટના બાદ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. આ કેસ 2021માં સ્પેશિયલ CBI કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પહેલા સેશન્સ કોર્ટે કહ્યું હતું કે તે તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી.

રાબિયા ખાન આ કેસમાં મુખ્ય સાક્ષી

જિયા ખાનની માતા રાબિયા ખાન આ કેસમાં મુખ્ય સાક્ષી છે. તેણે ઘણી વખત કોર્ટને કહ્યું છે કે, આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલાની નવેસરથી તપાસના આદેશ આપવાની માંગને ફગાવી દીધી હતી. પોતાની વાત રાખતા રાબિયા ખાને સીબીઆઈ કોર્ટમાં કહ્યું છે કે સૂરજ ખાન જિયા ખાનને શારીરિક અને શાબ્દિક રીતે અપમાનિત કરતો હતો. રાબિયા ખાને કોર્ટને એમ પણ કહ્યું કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી છે તે સાબિત કરવા માટે ન તો પોલીસ કે સીબીઆઈએ કોઈ કાનૂની પુરાવા રજૂ કર્યા છે.

આ મામલે અંતિમ નિર્ણય 28 એપ્રિલે આવશે

સૂરજ પંચોલીના વકીલ પ્રશાંત પાટીલે કેસમાં કહ્યું છે કે ‘અમે આ મામલામાં અંતિમ દલીલો પૂરી કરી છે. અમે અમારા તથ્યોને યોગ્યતા પર મૂક્યા છે. આ કેસ સીબીઆઈ વિરુદ્ધ સૂરજ પંચોલીનો હતો. પ્રશાંત પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓની નકલો પણ ઉમેરી છે. અમે કોર્ટને એમ પણ કહ્યું કે આનાથી આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો બનતો નથી. હવે આ મામલે અંતિમ નિર્ણય 28 એપ્રિલે આવશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…