Breaking News : રાજેશ ખન્નાએ 1, 2 નહી 10 વખત છૂટાછેડા માંગ્યા છતાં ડિમ્પલ કાપડિયાએ ના પાડી ! શું હતી મોટી શરત ? જાણો

અનિતા અડવાણીએ કહ્યું, "તેમણે ઇન્ટરવ્યુમાં તો કહ્યું હતું કે તેઓ છૂટાછેડા ઇચ્છે છે. તેમણે ઘણી વાર કહ્યું, પરંતુ તેમને છૂટાછેડા આપ્યા નહી. તેમણે 10 વખત છૂટાછેડા માંગ્યા હતા.

Breaking News : રાજેશ ખન્નાએ 1, 2 નહી 10 વખત છૂટાછેડા માંગ્યા છતાં ડિમ્પલ કાપડિયાએ ના પાડી ! શું હતી મોટી શરત ? જાણો
| Updated on: Jul 26, 2026 | 1:30 PM

બોલિવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિંપલ કાપડિયાની લવ સ્ટોરી જેટલી ચર્ચિત રહી છે. તેટલી તેની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહી છે. બંને 1973માં લગ્ન કર્યા હતા. તે સમયે રાજેશ ખન્ના 31 વર્ષ હતા. જ્યારે ડિંપલ કાપડિયાની ઉંમર માત્ર 16 વર્ષની હતી. લગ્ન પછી ડિંપલે બોબી જેવી સુપરહિટ ડેબ્યુ ફિલ્મ આપ્યા બાદ એક્ટિંગ છોડી હતી. બંને 2 દીકરીઓ ટ્વિંકલ અને રિંકલ ખન્ના છે. વર્ષ 1982માં ડિંપલ કાપડિયા રાજેશ ખન્નાનું ઘર છોડી અલગ રહેવા લાગી હતી. બંને ક્યારેય ઓફિશિયલ છુટાછેડા લીધા નથી. પરંતુ રાજેશ ખન્નાના નિધન સુધી અલગ રહી છે.

નિધન પહેલા રાજેશ ખન્નાએ પોતાની લિવ ઈન પાર્ટનર અનીતા અડવાણી સાથે રહેતા હતા. જેમણે બોમ્બે હાઈકોર્ટેમાં તેમની સાથે પોતાના સંબંધોને માન્યતા અપાવવા માટે અરજી દાખલ કરી હતી. હાલમાં અનીતા અડવાણીએ ડિંપલ કાપડિયા અને રાજેશ ખન્ના સંબંધોને લઈ મોટો ખુલાસો કર્યો છે.

ડિંપલ કાપડિયા પાસે છુટાછેડા માંગ્યા

રાજેશ ખન્નાની લિવ ઈન પાર્ટનર અનીતા અડવાણીએ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના કેસ અને રાજેશ ખન્નાની સાથે સંબંધોને લઈ ખુલ્લીને વાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, રાજેશ ખન્નાએ અનેક વખત ડિંપલ કાપડિયા પાસે છુટાછેડા માંગ્યા હતા. પરંતુ તેમણે ક્યારેય છુટાછેડા આપ્યા નહી. આ સાથે અભિનેત્રીએ છુટાછેડા આપવા માટે એક શરત પણ રાખી હતી.

અનીતા અડવાણીએ શું કહ્યું?

અનીતા અડવાણીએ કહ્યું મારો કેસ હિન્દુ મેરેજ લો હેઠળ ચાલ્યો. જ્યારે ભલે તેનો મારા કેસ સાથે કોઈ સંબંધ ન હતો. તેને સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું, કારણ કે સિવિલ કાયદા અલગ છે. મેં લગ્નના સ્વભાવના સંબંધને માન્યતા આપવાની માંગ કરી, પરંતુ મને કહેવામાં આવ્યું કે હું પત્ની નથી. આ કાયદો ફક્ત લિવ-ઇન પાર્ટનર્સને જ નહીં, પણ બહેન અને માતા જેવા સંબંધોને પણ આવરી લે છે. તેણે ઘણી વાર છૂટાછેડા માંગ્યા, પણ તેને આપ્યા નહી. તેની એકમાત્ર માંગણી હતી કે જો તે છૂટાછેડા ઇચ્છતો હોય, તો તેણે બધું જ તેના નામે ટ્રાન્સફર કરી દે.

રાજેશ ખન્નાનું 2012માં અવસાન થયું. એપ્રિલ 2026 માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા અનિતા અડવાણીની અરજી ફગાવી દેવામાં આવી.

Khanna family tree :રાજેશ ખન્નાના સુપરસ્ટારડમથી લઈને જમાઈ અક્ષય કુમાર સુધી, પરિવાર પર એક નજર અહી ક્લિક કરો

 

Follow Us