‘Hera Pheri 3’નો ભાગ ન બનવા બદલ અક્ષય કુમારે કહી દિલની વાત, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું

|

Nov 13, 2022 | 11:13 AM

Hera Pheri 3 : હેરા ફેરી ફિલ્મના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના ત્રીજા ભાગ એટલે કે હેરા ફેરી 3નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

‘Hera Pheri 3’નો ભાગ ન બનવા બદલ અક્ષય કુમારે કહી દિલની વાત, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું
Bollywood Actor Akshay kumar

Follow us on

Hera Pheri 3 : હેરા ફેરી ફિલ્મ તો બધાએ જોઈ જ હશે. આ તેના સમયની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ છે. દર્શકોને આ ફિલ્મના બે ભાગ ખૂબ જ પસંદ આવ્યા હતા. આવી સ્થિતિમાં મેકર્સે હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ એટલે કે ‘હેરા ફેરા 3’ બનાવવાનું મન બનાવી લીધું છે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે તૈયાર છે. નિર્માતાઓએ કલાકારોને પણ લગભગ ફાઈનલ કરી દીધા છે. છેલ્લા ઘણા દિવસોથી એવા સમાચાર હતા કે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન આવ્યો છે. તાજેતરમાં જ દિગ્ગજ કલાકાર પરેશ રાવલે પણ આ બાબતે મહોર મારી હતી.

અક્ષયની જગ્યાએ જોવા મળશે કાર્તિક

વાસ્તવમાં, પરેશ રાવલે ટ્વિટર પર એક ચાહકના ટ્વિટનો જવાબ આપતા કહ્યું હતું કે, કાર્તિક આ ફિલ્મનો ભાગ હશે. જેના કારણે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ ફિલ્મનો જીવ બનેલા અક્ષય કુમાર હવે ‘હેરા ફેરા 3’માં જોવા નહીં મળે. જેના કારણે ખિલાડી કુમારના ફેન્સ ખૂબ જ નિરાશ છે અને કાર્તિકના ફેન્સ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ માત્ર એ જાણવા માંગે છે કે અક્ષય ‘હેરા ફેરા 3’માં કેમ નથી. જેનો જવાબ હવે અક્ષયે પોતે જ બધાને આપી દીધો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અક્ષય કુમારને આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, તેને પણ આ વિશે કહેવામાં આવ્યું હતું. પરંતુ તે સ્ક્રિન પ્લે, સ્ક્રિપ્ટ અને દરેક વસ્તુથી સંતુષ્ટ નહોતો. તેને તે કરવું હતું જે લોકો જોવા માંગે છે અને તેથી જ તેણે પીછેહઠ કરી. તેના માટે, આ ફિલ્મ તેનો એક ભાગ છે, તેના જીવનનો, તેની સફરનો એક મોટો ભાગ છે.

ફિલ્મ વિશે વધુ વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે, તે ખૂબ જ દુ:ખી છે કે તે આ ફિલ્મ કરી શકતો નથી. તેમણે હેરાફેરી ન કરવા બદલ માફી પણ માંગી હતી. બધાને સોરી કહ્યું. તમને જણાવી દઈએ કે, માનવામાં આવે છે કે અક્ષય કુમારે આ ફિલ્મ કરવા માટે મોટી રકમની માંગણી કરી હતી. અભિનેતાએ 90 કરોડ રૂપિયા અને નફામાં ભાગ પણ માંગ્યો હતો. જે મેકર્સ માટે મોટી વાત હતી. તે જ સમયે, કાર્તિક આર્યનને માત્ર 30 કરોડમાં ફિલ્મ સાઈન કરી છે.

Next Article