20 વર્ષ નાની હસીનાના પ્રેમમાં પડ્યો 53 વર્ષનો ‘અનુરાગ કશ્યપ’, શું હવે કરશે ‘ત્રીજા લગ્ન’?

બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મોની સાથે પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. બે લગ્ન તૂટ્યા પછી 53 વર્ષની ઉંમરે અનુરાગ કશ્યપને ફરી એકવાર પ્રેમ થઈ ગયો છે. અનુરાગ કશ્યપ તેના કરતા 20 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યો છે.

20 વર્ષ નાની હસીનાના પ્રેમમાં પડ્યો 53 વર્ષનો અનુરાગ કશ્યપ, શું હવે કરશે ત્રીજા લગ્ન?
| Updated on: Aug 17, 2026 | 5:36 PM

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પોતાની ફિલ્મોની સાથે-સાથે પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહે છે. હવે જે મોટા સમાચાર સામે આવ્યા છે, તે મુજબ બે લગ્ન તૂટ્યા પછી 53 વર્ષની ઉંમરે અનુરાગ કશ્યપને ફરી એકવાર પ્રેમ થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે શુભ્રા શેટ્ટી સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

બંને પોતાની લાઇફને પ્રાઇવેટ રાખવા માંગે છે અને બેંગલુરુમાં સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપને શુભ્રા સાથે લગ્ન કરવાની પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું હતું. બંનેના રિલેશનશિપને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ અનુરાગે સ્પષ્ટ કર્યું કે, શુભ્રા લગ્નમાં વિશ્વાસ નથી રાખતી. તેમણે એમ પણ કહ્યું કે, તે પોતાના હાલના સંબંધથી ખુશ છે.

કોણ છે ‘શુભ્રા શેટ્ટી’?

શુભ્રા શેટ્ટી પણ અનુરાગ કશ્યપની જેમ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેના LinkedIn પ્રોફાઇલ અનુસાર, તે Good Bad Films માં ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. આ પ્રોડક્શન કંપની અનુરાગ કશ્યપે વર્ષ 2009 માં શરૂ કરી હતી.

Good Bad Films એ ‘Dev D’, ‘Udaan’, ‘Shaitan’ અને ‘The Lunchbox’ જેવી ઘણી ફિલ્મોનું સમર્થન કર્યું છે. શુભ્રા વર્ષ 2020 થી આ કંપની સાથે જોડાયેલી છે. આ પહેલા તે વર્ષ 2015 માં Phantom Studios સાથે પણ જોડાયેલી હતી.

આવી રીતે વધી હતી શુભ્રા અને અનુરાગની નજીકતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુરાગ સાથે શુભ્રાની મુલાકાત 20 વર્ષની ઉંમરે થઈ હતી. બંને વચ્ચે લગભગ 20 વર્ષની ઉંમરનો તફાવત છે. કહેવાય છે કે, બંને વર્ષ 2015 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અનુરાગે વર્ષ 2018 માં પોતાના રિલેશનશિપનો જાહેર સ્વીકાર કર્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અનુરાગે શુભ્રા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, હવે તેમની પાસે જિંદગી જીવવાનું એક અલગ કારણ છે અને તે આ સંબંધને ગુમાવવા માંગતા નથી. અનુરાગે કહ્યું કે, શુભ્રા ઈચ્છે છે કે, તે એવા લોકો કરતા વધુ સમય જીવે જેમને તે પ્રેમ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, જિંદગીમાં તેમને જે મળ્યું છે તેનાથી તે ખુશ છે અને તે આને ગુમાવવા નથી માંગતા.

બંને હજુ ‘હનીમૂન ફેઝ’ માં

ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે શુભ્રાએ તેમના સંબંધો વિશે કહ્યું કે, તેઓ બંને હજુ પણ પોતાના ‘હનીમૂન ફેઝ’ માં છે, તો અનુરાગ કશ્યપ ઇમોશનલ થઈ ગયા. તેમણે જણાવ્યું કે, શુભ્રાને મળતા પહેલા તેમને ક્યારેય મોતનો ડર નહોતો લાગ્યો પરંતુ હવે તેમની પાસે જીવવાનું કારણ છે. લગ્નને લઈને પણ અનુરાગે સ્પષ્ટ કરી દીધું કે, હાલમાં એવું કોઈ દબાણ નથી. શુભ્રા લગ્નમાં વિશ્વાસ નથી રાખતી અને તે આ સંબંધથી ખુશ છે.

સૈફ અલી ખાનના 56મા જન્મદિવસ પર કરીનાએ સુંદર ફોટો શેર કર્યા

Follow Us
Loading...
Unable to load recommendations.