Breaking News: પ્રભાસની ફિલ્મ સ્પિરિટના શૂટિંગ દરમિયાન અભિનેતા રાજેશ શર્મા સાથે અકસ્માત, ઝેરી જીવડાના ડંખ બાદ હોસ્પિટલમાં સારવાર

પ્રભાસની ફિલ્મ સ્પિરિટના સેટ પર અભિનેતા રાજેશ શર્માને ઝેરી જીવડાએ ડંખ માર્યો હતો. તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Breaking News: પ્રભાસની ફિલ્મ સ્પિરિટના શૂટિંગ દરમિયાન અભિનેતા રાજેશ શર્મા સાથે અકસ્માત, ઝેરી જીવડાના ડંખ બાદ હોસ્પિટલમાં સારવાર
| Updated on: Jul 08, 2026 | 7:48 PM

પ્રભાસ અભિનીત ફિલ્મ સ્પિરિટના શૂટિંગ દરમિયાન જાણીતા અભિનેતા રાજેશ શર્મા સાથે ગંભીર ઘટના બની છે. મીડિયા અહેવાલો મુજબ, હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન તેમને કોઈ ઝેરી જીવડું અથવા કરોળિયાએ ડંખ માર્યો હતો. શરૂઆતમાં ઘટના સામાન્ય લાગી હતી, પરંતુ થોડા કલાકોમાં તેમની તબિયત ઝડપથી બગડતાં તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શૂટિંગ બાદ બગડી તબિયત

બંગાળી અભિનેત્રી સુદીપા ચેટર્જીએ જાહેર કરેલી માહિતી મુજબ, શૂટિંગ પૂર્ણ થયા બાદ રાજેશ શર્મા સ્થાનિક ટેક્નિશિયન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન ઝાડીઓ પાસે કોઈ જીવડાએ તેમના જમણા પગમાં ડંખ માર્યો હતો. શરૂઆતમાં તેમણે તેને ગંભીરતાથી લીધું નહોતું અને તાત્કાલિક સારવાર પણ લીધી નહોતી. ડંખ બાદ અંદાજે છ કલાકમાં તેમના જમણા પગમાં ભારે દુખાવો શરૂ થયો. તેમ છતાં તેઓ કોલકાતા જતી ફ્લાઇટમાં સવાર થયા. મુસાફરી દરમિયાન તેમને  તાવ, બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ. કોલકાતા પહોંચ્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

પગમાં ઝડપથી ફેલાયું સંક્રમણ

હાલમાં રાજેશ શર્માના જમણા પગમાં સંક્રમણ ઝડપથી ફેલાયું હોવાનું જણાવાયું છે. પગની આંગળીઓથી લઈને ઘૂંટણ સુધી સોજો અને મોટા ફોલ્લા જોવા મળ્યા છે. ડૉક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ડૉક્ટરોને ચિંતા છે કે જો સંક્રમણ વધુ વધશે તો બ્લડ ક્લોટ બનવાનો ખતરો ઊભો થઈ શકે છે. જો આ ગાંઠ ફેફસાં સુધી પહોંચી જાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેથી હોસ્પિટલની તબીબી ટીમ તમામ જરૂરી તપાસ અને સારવાર કરી રહી છે. હોસ્પિટલ તરફથી સંપૂર્ણ તપાસ બાદ 9 જુલાઈએ રાજેશ શર્માની તબિયત અંગે આગામી સત્તાવાર મેડિકલ અપડેટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

પરિવારે વ્યક્ત કર્યો આભાર

રાજેશ શર્માના પરિવારે આ મુશ્કેલ સમયમાં સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ મીડિયા, બંગાલ મોશન પિક્ચર્સ આર્ટિસ્ટ્સ ફોરમ, મિત્રો, શુભેચ્છકો અને ખાસ કરીને અભિનેતા પ્રસેનજીત ચેટર્જીનો પણ આભાર માન્યો છે, જેઓ સતત પરિવાર સાથે સંપર્કમાં રહી સહયોગ આપી રહ્યા છે. પરિવારએ રાજેશ શર્માના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરનાર સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

સૌરવ ગાંગુલીની બાયોપિકનો ફર્સ્ટ લુક જોઈ ભડક્યા ચાહકો, AI સાથે કરી સરખામણી

Follow Us