Bollywood News : અમુકની કરિયર ખતમ…અમુકે છોડ્યો દેશ, જાણો બોલિવુડની આ 7 અભિનેત્રીઓ વિશે, જેના અંડરવર્લ્ડ ગેંગસ્ટરો સાથે હતા કનેક્શન

|

Jan 10, 2023 | 10:32 AM

Bollywood Actresses Gangster Connection : બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ રહી છે. જેઓ પોતાની કરિયરમાં ટોપ પર હતી ત્યારે જ અંડરવર્લ્ડ સાથે જોડાઈ ગઈ હતી. ઘણી અભિનેત્રીઓની આખી કરિયર ખતમ થઈ ગઈ અને અમુકે તો દેશ છોડી દીધો.

Bollywood News : અમુકની કરિયર ખતમ...અમુકે છોડ્યો દેશ, જાણો બોલિવુડની આ 7 અભિનેત્રીઓ વિશે, જેના અંડરવર્લ્ડ ગેંગસ્ટરો સાથે હતા કનેક્શન
monica

Follow us on

Bollywood Actresses Gangster Connection : બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. ગ્લેમરથી કોણ આકર્ષિત થવા નથી માંગતું. બોલિવૂડમાં અંડરવર્લ્ડની દખલ પ્રથમ હાજી મસ્તાનના સમયગાળા દરમિયાન જોવા મળી હતી. તેને બોલિવૂડ સ્ટાર્સ સાથે ઉઠવા-બેસવાનો ખૂબ શોખ હતો. તેણે બોલિવૂડની જ સંઘર્ષશીલ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ પોતાના કરિયર માં ટોપ પર હતી ત્યારે જ અંડરવર્લ્ડના સંપર્કમાં આવી હતી. તેમની આખી કરિયર ખતમ થઈ ગઈ અને કેટલાકે તો દેશ છોડી દીધો. ચાલો બોલીવુડના ઈતિહાસના પાના ફેરવીએ અને જાણીએ કઈ કઈ અભિનેત્રીઓના નામનો સમાવેશ થાય છે.

મમતા કુલકર્ણી– મમતા કુલકર્ણી 90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રી હતી. તેણે પોતાના કરિયરમાં ઓછી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેણે તે ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સ્ટાઇલથી બધાને દિવાના બનાવી દીધા હતા. એ સમયે અભિનેત્રીની સુંદરતા સામે મોટી-મોટી અભિનેત્રીઓની ચમક ઝાંખી પડતી હતી. પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે મમતા કુલકર્ણીનું નામ ગેંગસ્ટરો સાથે જોડાવા લાગ્યું. ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે તેના નામની ચર્ચા હતી. વર્ષ 2017માં થાણે પોલીસે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. બાદમાં અભિનેત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેનો વલણ આધ્યાત્મિકતા તરફ વળી છે અને હવે તે નવેસરથી જીવન જીવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હીના કૌસર– હીના કૌસર તેના સમયની જાણીતી અભિનેત્રી હતી. તે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કે આસિફની પુત્રી હતી. તે 90ના દાયકામાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે ગેંગસ્ટર ઈકબાલ મિર્ચી સાથે તેના લગ્નની અફવાઓએ સનસનાટી મચાવી. ઈકબાલ સાથે લગ્ન કર્યા પછી તે યુકે ગઈ અને બાકીનું જીવન ત્યાં જ વિતાવ્યું. ઇકબાલના મૃત્યુ પછી પણ તેઓ ભારત પાછા ન આવ્યા અને તેમના જીવનની અંતિમ ક્ષણો યુકેમાં વિતાવવાનો નિર્ણય કર્યો.

સોના મસ્તાન મિર્ઝા– જ્યારે સોના મસ્તાન મિર્ઝાએ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે લોકો તેને નવા યુગની મધુબાલા તરીકે ઓળખતા હતા. તેનું કારણ એ હતું કે તેનો દેખાવ મધુબાલા સાથે ઘણો મળતો આવતો હતો. અને તત્કાલીન અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન મધુબાલાને ખૂબ પ્રેમ કરતો હતો. હાજી મસ્તાન મધુબાલાને મળી શક્યો ન હોવા છતાં તેણે સોના મિર્ઝા સાથે લગ્ન કર્યા. સોના તે સમયે સંઘર્ષ કરતી અભિનેત્રી હતી અને તેને મોટા બજેટની ફિલ્મો મળતી નહોતી. હાજી સાથે લગ્ન પછી તેનું જીવન બદલાઈ ગયું. જણાવી દઈએ કે બંનેનો પ્રેમ અજય દેવગનની ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈમાં બતાવવામાં આવ્યો હતો.

મોનિકા બેદી– મોનિકા બેદી તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી. તેણે સલમાન ખાન, ગોવિંદા અને સંજય દત્ત જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. પરંતુ તેણે બધાનું ધ્યાન ત્યારે ખેંચ્યું જ્યારે તેનું નામ અબુ સાલેમ સાથે જોડાવા લાગ્યું. રિપોર્ટ્સ અનુસાર મોનિકાએ અબુ સાલેમ સાથે લગ્ન પણ કર્યા હતા અને પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. ફિલ્મફેરના અહેવાલો અનુસાર મોનિકા અને અબુની પહેલી મુલાકાત 1998માં થઈ હતી. આ પછી બંને વચ્ચે રોમાન્સ શરૂ થયો. મોનિકાએ એક ઈન્ટરવ્યુમાં અબુ સાથેના તેના સંબંધોનો ખુલાસો પણ કર્યો હતો. આ સાથે તેણે એ પણ જણાવ્યું હતું કે, તે જેલમાં હતી તે દરમિયાન તે આધ્યાત્મિકતાની નજીક આવી હતી અને ગીતા વાંચી હતી.

મંદાકિની– બોલિવૂડમાં મંદાકિનીનું કરિયર બહુ નાનું હતું પરંતુ માત્ર એક જ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ તેમને તેમના કરિયરમાં જે સફળતા અપાવી, કદાચ ઘણી ફિલ્મો કર્યા પછી પણ લોકોને એટલી લોકપ્રિયતા મળી ન હોત. મંદાકિની પાસે તેનું આખું જીવન બાકી હતું, તે ફિલ્મોમાં વધુ સારી રીતે કામ કરી શકી હોત, પરંતુ તે દરમિયાન અભિનેત્રીનું નામ અન્ડરવર્લ્ડ કિંગપિન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાવા લાગ્યું. બંનેના એક સાથે ઘણા ફોટા પણ સામે આવ્યા છે. દાઉદ સાથેની તેની નિકટતાની તેની કરિયર પર ખરાબ અસર પડી હતી. તે પણ વર્ષ 1996 પછી અચાનક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી. તેને બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને લગ્ન જીવન જીવવાનું શરૂ કર્યું. હાલમાં તે ભારત પાછી આવી ગઈ છે.

જૈસ્મીન ધુન્ના– જૈસ્મીનને 1988માં આવેલી ફિલ્મ વીરાનાથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની ક્યૂટનેસથી બધાને વિશ્વાસ હતો કે તે આગળ જશે. તેમની ભૂમિકા અલૌકિક ઘટનાઓથી પ્રેરિત હતી અને આ ડ્રામા ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ તે તેની એકંદરે કરિયરમાં કંઈ ખાસ કરી શકી નથી. ધીમે-ધીમે તેમના વિશે નકારાત્મક સમાચાર આવવા લાગ્યા. ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે તેના રોમાંસના અહેવાલો હતા. આ તે સમય હતો જ્યારે તે અચાનક ગાયબ થઈ ગઈ અને લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી.

Published On - 9:57 am, Tue, 10 January 23

Next Article