
બોલિવૂડ સિંગર આશા ભોસલેનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ 92 વર્ષના હતા.
બોલિવૂડની દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. દેશભરના ચાહકો માટે આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ 92 વર્ષના હતા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોર (અંગો નિષ્ફળ જવા) ને કારણે તેમનું નિધન થયું છે.
માત્ર 10 વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરનાર આશા ભોસલેએ ભારતીય સિનેમાને હજારો યાદગાર ગીતો આપ્યા હતા. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ પાથર્યો હતો.
આશા ભોસલે સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્ગજ ગાયિકા સ્વ. લતા મંગેશકરના નાના બહેન હતા. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. તેમના લગ્ન જાણીતા સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા, જેમના સંગીત નિર્દેશનમાં આશાજીએ અનેક સુપરહિટ ગીતો આપ્યા હતા.
આશા ભોસલેના સંગીત પ્રદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા:
આશા ભોસલેની વાત કરીએ તો, તેઓ તેમની બહેન લતા મંગેશકરના માર્ગે ચાલીને ઈન્ડસ્ટ્રીમાં આવ્યા અને તેમણે ખૂબ નામના મેળવી. 10 વર્ષની ઉંમરે ગાયિકાએ તેમનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યું હતું, જે મરાઠીમાં હતું. ત્યારથી ગાયિકાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને 82 વર્ષની કારકિર્દીમાં આશરે 12,000 ગીતો ગાયા હતા. કલા જગતમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને પદ્મ વિભૂષણ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
Published On - 12:53 pm, Sun, 12 April 26