Arijit Singhની માતા હોસ્પિટલમાં દાખલ, Swastika Mukherjeeએ સોશિયલ મીડિયા પર કરી મદદની અપીલ

|

May 06, 2021 | 5:56 PM

બોલિવૂડ સિંગર અરિજીત સિંઘની માતાની તબિયત ખરાબ થઈ છે. તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિંગરની માતાને એ નેગેટિવ બ્લડની જરૂર છે, જેના માટે અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ સોશિયલ મીડિયા પર ગુહાર લગાવી છે.

Arijit Singhની માતા હોસ્પિટલમાં દાખલ, Swastika Mukherjeeએ સોશિયલ મીડિયા પર કરી મદદની અપીલ
Arijit Singh

Follow us on

બોલિવૂડ સિંગર અરિજીત સિંઘની માતાની તબિયત ખરાબ થઈ છે. તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિંગરની માતાને એ નેગેટિવ બ્લડની જરૂર છે, જેના માટે અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ સોશિયલ મીડિયા પર ગુહાર લગાવી છે. સ્વસ્તિકાની સાથે સાથે દિગ્દર્શક શ્રીજીત મુખર્જી પણ લોકોને મદદ માટે કહી રહ્યા છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્વસ્તિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોની મદદ માંગી છે. તેમણે લખ્યું – ગાયક અરિજીત સિંઘની માતા માટે આજે એ નેગેટીવ બ્લડની જરૂર છે. તે કોલકાતાના AMRI ઢાકુરીયા હોસ્પિટલમાં દાખલ છે. વળી, તેમણે એમ પણ કહ્યું છે કે રક્તદાતા પુરુષ હોવો જોઈએ. તે જ સમયે, નિર્દેશક શ્રીજીતે આ પોસ્ટને બંગાળીમાં કોપી કરીને શેર કરી છે.

 

અહીં જુઓ સ્વસ્તિકા મુખર્જીની પોસ્ટ

 

 

 

સ્વસ્તિકાની પોસ્ટ પર ચાહકો કમેન્ટ કરીને લોકેશન વિશે પુછે છે કે જેથી તેઓ બ્લડ ડોનેટ કરી શકે. અરિજીતની માતાની તબિયત અંગે હજી સુધી બહુ માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે સ્વસ્તિકા મુખર્જી સિવાય, બોલિવૂડના ઘણા સેલેબ્સ ભૂમિ પેડનેકર, તાપસી પન્નુ જેવા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને ઓક્સિજન, હોસ્પિટલના પલંગ, દવાઓ અને બીજી ઘણી વસ્તુઓ માટે મદદ કરી રહ્યા છે.

 

 

અરિજીત સિંઘ 18 વર્ષની વયે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સિંગિંગ રિયાલિટી શો ફેમ ગુરુકુલમાં જોવા મળ્યો હતા. ફિલ્મ આશિકી 2ના તુમ હી હો ગીતથી અરિજિતને ઓળખ મળી. તેમણે કબીરા, રાબતા, ખૈરિયત, અગર તુમ સાથ હો જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે.

 

બની ગયા છે મ્યુઝિક કંપોઝર

અરિજીત સિંઘે સાન્યા મલ્હોત્રાની ફિલ્મથી મ્યુઝિક કંપોઝર તરીકેની શરૂઆત કરી છે. તેમણે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને આપી હતી. તેમણે લખ્યું – પગલેટ માટે સંગીત કંપોઝ કરીને હું ખૂબ ગર્વ અનુભવું છું. હું આ આલ્બમ એ.આર. રહેમાનને સમર્પિત કરું છું. જેમણે મને ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે ઘણું શીખવ્યું છે. હું હંમેશાં તેમનાથી પ્રેરિત થયો છું જ્યારથી મને રાગ, સ્કેલની થોડી સમજ થઈ છે.

 

આ પણ વાંચો :- હાસ્ય કલાકાર Sunil Pal વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ, ડૉકટરો વિરુદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી

આ પણ વાંચો :- ટીવી સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ

Next Article