Happy Birthday Madhubala : મધુબાલાની બહેને જણાવી એક્ટ્રેસ અને દિલીપકુમારની પ્રેમકહાની, કહ્યુ, તેના નિધન પછી કબ્રસ્તાનમાં પણ આવ્યા હતા

|

Feb 14, 2022 | 9:25 AM

સુપ્રસિદ્ધ અભિનેત્રી મધુબાલા કરતા 16 વર્ષ નાની તેની બહેન મધુર ભૂષણે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાંમધુબાલા અને દિલીપ કુમારની લવ સ્ટોરી વિશે ખુલીને ચર્ચા કરી. આ સાથે ઘણી રસપ્રદ ઘટનાઓ પણ શેર કહી હતી.

Happy Birthday Madhubala : મધુબાલાની બહેને જણાવી એક્ટ્રેસ અને દિલીપકુમારની પ્રેમકહાની, કહ્યુ, તેના નિધન પછી કબ્રસ્તાનમાં પણ આવ્યા હતા
Dilip kumar and Madubala (File photo)

Follow us on

બોલિવૂડમાં એવી ઘણી વાતો છે જેનાથી સામાન્ય માણસ વંચિત રહે છે. આ ફિલ્મી દુનિયામાં પ્રેમ કહાની પર દર વર્ષે ઘણી ફિલ્મો બને છે, પરંતુ તે ફિલ્મોને વાસ્તવિકતા સાથે કોઈને કોઈ સંબંધ હોય છે. વીતેલા જમાનાની જાણીયાતી અભિનેત્રી મધુબાલાની ( Madhubala) લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ હતી. તે સમયે તેમના અને દિલીપ કુમારના પ્રેમ સંબંધની ચર્ચાઓ થતી હતી પરંતુ તેમનો પ્રેમ સાકાર થયો ન હતો. તેમની સફર માત્ર 9 વર્ષ ચાલી હતી. એક ઈન્ટરવ્યુમાં સુપ્રસિદ્ધ અભિનેત્રી મધુબાલા કરતા 16 વર્ષ નાની તેની બહેન મધુર ભૂષણે મધુબાલાની અને દિલીપ કુમારની (Dilip Kumar) પ્રેમ કહાનીની ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. આ સાથે સાથે ઘણી રસપ્રદ ઘટનાઓ પણ શેર કરી. તેમણે કહ્યું કે જ્યારે મધુબાલાનું અવસાન થયું ત્યારે દિલીપ કુમાર તેમના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હતું.

મધુબાલાની બહેન મધુર ભૂષણે ઘણા ખુલાસા કર્યા

દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચેના સંબંધો વિશે ઘણા લોકો જાણતા હશે, પરંતુ તેમની પાસે આજની તારીખે ઘણી એવી વાતો છે, જે બહુ ઓછા લોકો જાણે છે. મધુબાલાની બહેન મધુર ભૂષણે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેને ક્યારેય ભૂલી ના હતી. હકીકતમાં જ્યારે મધુબાલા બીમાર હતી ત્યારે દિલીપકુમાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પણ આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે તેઓ ફરીથી સાથે કામ કરશે. ત્યારે તેના લગ્ન થયા ન હતા. તેમના લગ્ન પછી, તેઓ ક્યારેય મળ્યા નથી. તેઓ કબ્રસ્તાનમાં આવ્યા પરંતુ અંતિમ સંસ્કાર થયા. તેનો પરિવાર પણ આવ્યો હતો. તેઓએ અમને આગામી ત્રણ દિવસ માટે જમવાનું મોકલ્યું હતું. તે આદર હતો અને દુશ્મનાવટ નહીં.

દિલીપ કુમારને મધુબાલાના પિતા સાથે અણબનાવ હતો

તેણીએ એ વાતની પણ પુષ્ટિ કરી કે મધુબાલાએ દિલીપ કુમારને તેના પિતાની માફી માંગવા કહ્યું હતું કારણ કે બીઆર ચોપરાએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો. તેના પિતાએ મધુબાલાને ગ્વાલિયરમાં ‘નયા દૌર’ના શૂટિંગ માટે દિલીપ કુમાર સાથે સામેલ થવાની રજા આપી ના હતી. તેણે કહ્યું કે દિલીપ સાહેબ તે પછી ઘરે આવ્યા હતા અને હા મધુબાલાએ તેમને અમારા પિતાને ‘સોરી’ કહેવા કહ્યું હતું. પણ દિલીપ સાહેબે તેમને ‘જુલમી અને મુશ્કેલ’ કહ્યા હતા. મધુબાલાએ દિલીપ સાહેબને યાદ કરાવ્યું કે તેમણે ક્યારેય તેમની સાથે આવું વર્તન કર્યું નથી. મારા પિતા દિલીપ કુમારને પસંદ કરતા હતા. જો તેઓ દિલીપ કુમારને પસંદ ન કરતા હોય તો શું તેમણે તેમની પુત્રીની લવસ્ટોરી માટે તેમની સંમતિ આપી હોત?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મધુબાલાના લગ્ન કિશોર કુમાર સાથે થયા હતા

તમને જણાવી દઈએ કે, 1957માં મધુબાલાના હૃદયમાં છિદ્ર હોવાનું જાણવા મળ્યું હતું. તે 1960માં સારવાર માટે લંડન જવાની હતી. કિશોર કુમારે તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને બંનેએ લગ્ન કરી લીધા. મધુબાલાનું 36 વર્ષની વયે અવસાન થયું હતું. દિલીપ કુમારનું ગયા વર્ષે જુલાઈમાં 98 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને જુહુના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમના લગ્ન પ્રખ્યાત અભિનેત્રી શાયરા બાનો સાથે થયા હતા.

આ પણ વાંચો : UP Election 2022: 14 ફેબ્રુઆરીએ 9 જિલ્લાની 55 વિધાનસભા બેઠકો પર મતદાન, 2.2 કરોડ મતદારો 586 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે

આ પણ વાંચો : દેશમાં 15 થી 18 વર્ષના 70 ટકા કિશોરોને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો, આરોગ્ય મંત્રીની યુવાનોને અપીલ- ઝડપથી રસીકરણ કરાવો

 

Next Article