UP Election 2022: યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ Dara Singh Chauhanનો મોટો આરોપ, કહ્યું ‘5 વર્ષમાં દલિતો, બેરોજગારોને નથી મળ્યો ન્યાય’

|

Jan 12, 2022 | 6:48 PM

સ્વામી પ્રસાદ મૌર્યના (Swami Prasad Maurya) રાજીનામા બાદ યોગી કેબિનેટમાંથી દારા સિંહ ચૌહાણે (Dara Singh Chauhan) પણ રાજીનામું આપી દીધું છે અને હવે એવી અટકળો ચાલે છે કે તેઓ સપામાં જોડાઈ શકે છે.

UP Election 2022: યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ Dara Singh Chauhanનો મોટો આરોપ, કહ્યું 5 વર્ષમાં દલિતો, બેરોજગારોને નથી મળ્યો ન્યાય
Dara Singh Chauhan resigns from Yogi Cabinet

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022)ની જાહેરાત સાથે પક્ષપલટો શરૂ થઈ ગયો છે. મંગળવારે રાજ્ય સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ (Swami Prasad Maurya) રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રી દારા સિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે. દારા સિંહ ચૌહાણ (Dara Singh Chauhan) યોગી સરકારમાં પર્યાવરણ અને પ્રાણી ઉદ્યાનના મંત્રી હતા.

સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાથી એવી અટકળો ચાલી રહી હતી કે દારા સિંહ ચૌહાણ પણ રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં(SP) જોડાઈ શકે છે. સ્વામી પ્રસાદ મૌર્યની સાથે ધારાસભ્યોના રાજીનામાં બાદ ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયું હતું અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી સોંપી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાજ્યપાલને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું કે “મેં કેબિનેટમાં વન, પર્યાવરણ અને જંતુ ઉદ્યાન મંત્રી તરીકે પૂરા દિલથી કામ કર્યું. પરંતુ પછાત, દલિત, ખેડૂતો અને બેરોજગાર યુવાનો પ્રત્યે સરકારના ઘોર ઉપેક્ષિત વલણ તેમજ પછાત અને દલિત વર્ગના અનામત સાથે છે છેડછાડ થઈ રહી છે તે બાદ દુઃખી થઈને હું મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.

કેશવ મૌર્યએ સમજાવવાની કોશિશ શરૂ કરી

બે દિવસમાં બે મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. જે બાદ ભાજપે (BJP) આ મંત્રીઓને મનાવવાનું શરૂ કરી દીધું છે. દારા સિંહ ચૌહાણના રાજીનામા પછી તરત જ ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય (Dy CM Keshav Prasad Maurya) તેમને સમજાવવા આગળ આવ્યા અને તેમને નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું.

તેમણે ટ્વીટ કર્યું, “જો પરિવારનો કોઈ સભ્ય ભટકી જાય છે તો દૂર જતા આદરણીય મહાનુભાવોને વિનંતી કરતા દુઃખ થાય છે કે ડૂબતી હોડી પર સવારી કરીને નુકસાન તેમનું થશે. મોટા ભાઈ શ્રી દારા સિંહજી, તમારે તમારા નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.”

આ પહેલા મંગળવારે પણ સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ કેશવ મૌર્ય જ તેમને મનાવવા આવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “મને ખબર નથી કે આદરણીય સ્વામી પ્રસાદ મૌર્યએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે, હું તેમને બેસીને વાત કરવાની અપીલ કરું છું, ઉતાવળા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.”

સપાએ મહાગઠબંધનના નેતાઓ સાથે બેઠક યોજી હતી

સપા (Samajwadi Party) સતત ભાજપમાં તોડફોડ કરી રહી છે. આ સાથે તે જલ્દીથી જલ્દી ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. સપા પ્રમુખ (SP Chief) અખિલેશ યાદવે (Akhilesh Yadav) બુધવારે મહાગઠબંધનના (Mahagathbandhan) નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સીટ વહેંચણી અંગે સમજૂતી થઈ છે.

આ પણ વાંચો : Uttar Pradesh: યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા સ્વામી પ્રસાદ મોર્યની વિરૂદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :UP Assembly Election 2022: આવી ગયો 403 બેઠકનો મહાઓપિનિયન પોલ, જાણો કયા પક્ષને મળી શકે છે કેટલી બેઠક

Next Article