ભારતીય જનતા પાર્ટી (BJP) ત્રિપુરા-નાગાલેન્ડ અને મેઘાલય ચૂંટણીના પરિણામોથી ખૂબ જ ખુશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે તેમની સરકાર, તેમની પાર્ટી અને તેમના કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ અહીં એ પણ જણાવ્યું કે ભાજપને એક પછી એક ચૂંટણીમાં જીત કેમ મળી રહી છે. આ માટે તેમણે ભાજપ સરકારોની કામગીરી, કાર્ય સંસ્કૃતિ અને પક્ષના કાર્યકરોના સેવા સંકલ્પને શ્રેય આપ્યો હતો.
પૂર્વોત્તરમાં ભાજપનો વિજયઘોષ ! ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો; ગઠબંધનનું ગણિત ભાજપને ફળ્યું#Elections2023 #Electionresults #TV9News pic.twitter.com/J9W9YlSuMZ
— Tv9 Gujarati (@tv9gujarati) March 2, 2023
પીએમ મોદીએ કહ્યું કે અમારી પાસે ઘણા શુભચિંતકો છે જેઓ એ વિચારીને પીડા અનુભવે છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે. હું આવા દરેક શુભેચ્છકોને ભાજપની સફળતાનું રહસ્ય કહેવા માંગુ છું. ભાજપની જીતનું રહસ્ય ત્રિવેણીમાં છુપાયેલું છે. તેની પ્રથમ શક્તિ ભાજપ સરકારોનું કાર્ય છે, બીજી શક્તિ ભાજપ સરકારોની કાર્ય સંસ્કૃતિ અને ત્રીજી શક્તિ ભાજપના કાર્યકરોની સેવા ભાવના છે. ભાજપના કાર્યકર તેમની શિસ્ત માટે જાણીતા છે. તેમણે મુશ્કેલ સમયમાં અમારો ધ્વજ ઊંચો રાખ્યો હતો. જે પક્ષમાં આપણા જેવા કાર્યકરો હોય તેના માટે કશું જ અશક્ય નથી.
भाजपा के विजय अभियान का रहस्य छिपा है ‘त्रिवेणी’ में…
इसकी पहली शक्ति है- भाजपा सरकारों के कार्य
दूसरी शक्ति है- भाजपा सरकारों की कार्य संस्कृति
तीसरी शक्ति है- भाजपा कार्यकर्ताओं का सेवा-भाव।
– पीएम @narendramodi pic.twitter.com/Ni8WFqkLF1
— BJP (@BJP4India) March 2, 2023
Published On - 7:00 am, Fri, 3 March 23