Punjab: AAPના સીએમ ઉમેદવાર ભગવંત માન આજે રાજ્યપાલને મળશે, ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપશે

|

Mar 12, 2022 | 7:03 AM

ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

Punjab: AAPના સીએમ ઉમેદવાર ભગવંત માન આજે રાજ્યપાલને મળશે, ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપશે
AAP CM candidate Bhagwant Mann to meet Governor today

Follow us on

Punjab News: પંજાબમાં, આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન (Bhagwant Mann)  આજે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળશે અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શુક્રવારે મોહાલીમાં AAP ધારાસભ્યોની બેઠકમાં માનને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

સરકારમાં મંત્રી પદ માટે હરપાલ સિંહ ચીમા, અમન અરોરા, બલજિંદર કૌર, સર્વજીત કૌર માનુકે, ગુરમીત સિંહ મીત હેર, બુધ રામ, કુંવર વિજય પ્રતાપ સિંહ, જીવનજ્યોત કૌર અને ડૉ. ચરણજીત સિંહ સહિત ઘણા AAP ધારાસભ્યોના નામ છે. પંજાબમાં ચર્ચામાં છે.

ભગવંત માને AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. AAP દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, રવિવારે માન અને કેજરીવાલ બંને સુવર્ણ મંદિર, દુર્ગિયાના મંદિર અને શ્રી રામ તીરથ મંદિરની મુલાકાત લેશે. તે AAPની જીતની ઉજવણી કરવા અને મતદારોનો આભાર માનવા માટે અમૃતસરમાં રોડ શોમાં પણ ભાગ લેશે. 117 સભ્યોની વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 92 બેઠકો જીતી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ભગવંત માને ધારાસભ્યોને કહ્યું હતું કે મારી તમને બધાને વિનંતી છે કે અહંકાર ન કરો, જેમણે વોટ નથી આપ્યા તેમનું કામ કરો. તમે પંજાબીઓના ધારાસભ્ય છો, પંજાબીઓની સરકાર બની છે. માને કહ્યું કે હું પોલીસકર્મીઓની કોઈપણ ગેરરીતિ અંગે ખૂબ કડક રહીશ. અમે જ્યાં વોટ માંગ્યા છે ત્યાં જઈને કામ કરવાનું છે. જીતીને ચંદીગઢ આવજો એમ ન કહેતા. ભેદભાવ ન કરો, આ અરવિંદ કેજરીવાલનો પણ સંદેશ છે.

પંજાબના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનએ શુક્રવારે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને કહ્યું કે તેઓ તેમનો મોટાભાગનો સમય ગામડાઓ અને શહેરોમાં લોકોની સમસ્યાઓના ઉકેલ માટે વિતાવે. તેમણે કહ્યું કે લોકોને AAP સરકાર પાસેથી તેમના જીવનમાં ઘણી અપેક્ષાઓ છે. માને ધારાસભ્યોને કહ્યું, ‘અમે જ્યાં વોટ માંગ્યા હતા ત્યાં કામ કરો. જીત્યા પછી લોકોને ચંદીગઢ આવીને મળવાનું ન કહો.” તેમણે કહ્યું, ‘સરકાર ગામડા, વોર્ડ અને વિસ્તારોથી ચાલશે.

Next Article